________________
૧૪૮ ૦ સંગીતિ
ચોથા પુષ્પવર્ગના ત્રીજા શ્લોકમાં આ શરીરને પેનૂપમં એટલે પાણીના ફીણ જેવું તથા મીધિમાં એટલે ઝાંઝવાના જળ જેવું કહીને તેની ક્ષણભંગુરતા બતાવી છે. શ્લોક ચોથામાં જે માણસ પોતાની મોજમાં રહે છે અને કલાપી જેમ કહે છે કે ‘ફૂલ વીણ સખે, ફૂલ વીણ સખે' અર્થાત્ માણસ, યુવાવસ્થામાં આવીને હજુ જગતની વાડીનાં ફૂલો વીણવામાં મશગૂલ બનીને રોકાયેલ હોય છે તેવામાં તે મોજીલા માણસને મૃત્યુ આવીને ઉપાડી જાય છે, જેમ સભર ઊંઘમાં પડેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય છે તેમ. સુત્ત ગામ મહોષો વ ! મુનિ દેવ પત્તિનાં । આમ કહીને માણસ મૃત્યુના મુખમાં અણધારી રીતે સપડાઈ જાય છે એમ બતાવી આત્માર્થી પુરુષને સાવધાન રહેવાની સૂચના આપેલ છે. છઠ્ઠા શ્લોકમાં મુનિએ કે ગૃહસ્થે આ જગતમાં પોતાની આજીવિકાને કઈ રીતે શુદ્ધ મેળવવી, કઈ રીતે કોઈને પણ દૂભવ્યા સિવાય અથવા ઓછામાં ઓછું દૂભવીને મેળવવી એ હકીકતને સ્પષ્ટ કરતાં उहे छे } यथा पि भमरो पुप्फं वण्णगंधं अहेठयं पलेति रसमादाय एवं गामे મુની રે । અર્થાત્ સુંદરવર્ણ-રૂપ-વાળા અને સુગંધીદાર પુષ્પમાંથી તેને ત્રાસ આપ્યા વિના ભમરો જેમ રસ પીએ છે અને ઊડી જાય છે તેમ આજીવિકા મેળવનાર હરકોઈએ પોતાના સહચારીઓના જીવનને ધક્કો પહોંચાડ્યા વિના પોતાની આજીવિકા મેળવવા બરાબર સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. જોકે ભમરો પુષ્પમાંથી રસ પીએ છે, ત્યારે પુષ્પને ત્રાસ મુદ્દલ થતો નથી એમ તો નથી, પરંતુ ઘણો જ ઓછો ત્રાસ થાય છે; તેમ સમાજમાં એકબીજા દ્વારા પોતપોતાનો વહેવાર, ધંધો કામકાજ કરતાં-કરાવતાં, એકબીજા સહચારીને બિલકુલ ત્રાસ ન થાય તેમ તો બની શકતું જ નથી; પરંતુ તેમનો ત્રાસ ઓછામાં ઓછો કરીને પણ જરૂર આજીવિકા મેળવી શકાય છે. તો એ માટે ભગવાન બુદ્ધ તમામ ગૃહસ્થોનું અને મુનિઓનું ધ્યાન ખેંચવા આ ભમરા અને ફૂલનો દાખલો આપે છે. આજીવિકા મેળવવા દેરેકે દરેક માણસે વધારે કે ઓછો શ્રમ તો કરવો પડે છે; આમાં કોઈને શરીર તૂટી જાય એવો શ્રમ કરવાનો આવે છે તો કોઈને નહિવત્ શ્રમ કરવાનો હોય છે.
આ પરિસ્થિતિ સમાજનો વિઘાત કરનારી છે. એટલે સૌએ સરખે ભાગે પોતપોતાના ગજા પ્રમાણે શરીરશ્રમ કરવો જોઈએ. તો ધંધારોજગારમાં એકબીજાને જે વિશેષ ત્રાસ થાય છે તે અટકી જશે. આ રીતે ત્રાસ અટકાવવાની પ્રવૃત્તિને ભમરો જેમ ફૂલમાંથી રસ મેળવે છે તે રીત સાથે સરખાવી છે. આ બોધવચન વર્તમાનકાળમાં ખાસ વિશેષ ઉપયોગી છે. કેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International