SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ - સંગીતિ સંનિધાન દ્વારા પોતાના ચંચળ ચિત્તને સ્થિર રાખવાની ભાવનાઓ, સંકલ્પો કરતો નથી અને એવા સંકલ્પો અનુસાર પ્રયત્ન કરતો નથી, તે માણસની પોતાની વૃત્તિનો વેગ તેને વીંધી નાખે છે અને એવો પરવશ થયેલો માનવી સારાસારનો વિચાર કરી શકતો નથી–જેમ ઘર સારી રીતે છાયેલ ન હોય, તેના છાપરામાં ઠેકઠેકાણે અનેક કાણાં પડ્યાં હોય તો વરસાદ પોતાની જોરદાર ધારાઓ વડે તે ઘરને વીંધી નાખે છે. યથા મા કુછદ્મ પુષ્ટિ સમિતિવિતિ | આથી આગળ ૧૯મી ગાથામાં એમ કહેવું છે કે જે માણસ ધર્માચરણ વિશે, સદાચરણ વિશે, સંયમાદિક સાધનો વિશે પોતાના હિતને લક્ષ્યમાં રાખીને જો વારે વારે બોલ બોલ જ કરે, મોટાં મોટાં ભાષણો કરે અને સભાઓને ગજવી મૂકે તો તે ગાજયા મેઘ જેવો છે. એવો માણસ, જેમ પારકી ગાયોને એક-બે-ત્રણ એમ ગણગણ કરતો ગોવાળ ગાયનો સ્વામી થઈ શકતો નથી, તેમ કદી પણ પોતાના હિતનો, સદાચરણનો કે સંયમ વગેરે સાધનો દ્વારા પોતાના વિકાસનો ભાગી થઈ શકતો નથી. માપો વ ાવો અર્થ परेसं न भागवा सामञ्जस्स होति । આ પછી બીજા અપ્રમાદ-વર્ગની ઉપમાઓ આ પ્રમાણે છે : શ્લોક આઠમો : પબૂતરો મુખ્યદ્દે ધીરો વાને વેવતિ | અર્થાત્ માનવ જયારે પોતાનાં અસંયમ, સ્વછંદ અને પ્રમાદ વગેરેને સંયમ વડે, પુરુષની આજ્ઞાને અધીન રહીને અપ્રમાદ વડે હાંકી કાઢે છે, ત્યારે સમતાયુક્ત પ્રજ્ઞાના પ્રાસાદ ઉપર ચડી શકે છે, અને ત્યાં ચડેલો તે, અજ્ઞાન મનુષ્યો તરફ કરણાભાવે વા મધ્યસ્થભાવે નજર ફેરવે છે, જેમ પર્વત ઉપર ચડેલો મનુષ્ય જમીન ઉપર રહેલા માણસોને જાણે તેઓ તદન ઠીંગણાં હોય એમ જુએ તેમ. શ્લોક નવમામાં અવતરૂંવ સીધો ઉહત્વા યતિ સુધો | અર્થાત જેમ ઘોડદોડમાં નબળા ઘોડાઓને પાછળ રાખી શીઘગામી ઘોડો આગળ નીકળી જાય છે, તેમ પ્રમાદી માણસોને પાછળ રાખીને અપ્રમાદી બુદ્ધિમાન માણસ આગળ નીકળી જાય છે. એ હકીકત આ સચોટ ઉપમા દ્વારા સ્પષ્ટ કરી છે. શ્લોક અગિયારમામાં સંથોનનું આખું ચૂર્વ યુદં ૩ીવ છત ! એટલે જેમ અગ્નિ પોતાના માર્ગમાં આવતા નાનામોટા, જાડાપાતળા, તમામ પદાર્થોને બાળતો ચાલ્યો જાય છે તેમ અપ્રમાદી સંયમી માનવ, પોતાની સાધનામાં આવતાં તમામ નાનાંમોટાં બંધનોને કાપતો આગળ ને આગળ વધ્યે જ જાય છે. ત્રીજા ચિત્તવર્ગમાં પ્રથમ શ્લોકમાં ૩૬ કરોતિ મેધાવી સસુરો વ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy