SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લોકદીપક બુદ્ધગુરુ ૦ ૧૨૫ શૂદ્રો તો લગભગ ખરીદેલા ગુલામ હોય તેમ રિબાઈ રહ્યા છે. સ્ત્રીઓ બિચારી મૂક પીડા અનુભવી રહી છે. આ રીતે મનુષ્યોનું અને યજ્ઞમાં હોમાતાં પશુઓનું ભારે દુઃખ સિદ્ધાર્થના ધ્યાન ઉપર આવ્યું. હવે તો તેની ઊંઘ જ ઊડી ગઈ. તેને એવા વિચારો આવવા લાગ્યા કે આ દુઃખનું મૂળ શું ? આ દુઃખ દૂર શે થાય ? પોતે જે રીતે આરામમાં રહે છે એ જ રીતે રહે તો એ દુઃખમાં વધારો થાય, પણ ઘટાડો થવાનો નથી; કારણ કે પોતે પણ પ્રજાની ખાંધ ઉપર જ ચડીને આરામ ભોગવી રહેલ છે. એવું તેને સ્પષ્ટ ભાન થઈ ગયું હતું. આ વિચારોની પરંપરાનો તેના મનમાં પ્રબળ વેગ થયો અને એક મધરાત્રે તેણે પોતાના તમામ આરામને, પતિવત્સલ યુવતી સ્ત્રીને અને અત્યંત આકર્ષક બાળપુત્રને ત્યજી દેવાનો દૃઢ સંકલ્પ કર્યો અને આષાઢી પૂર્ણિમાને દિવસે જ તેણે પોતાના માનીતા છન્ન સારથિને સાથે લઈને મહાભિનિષ્ક્રમણ કર્યું. સંસારના તમામ ભોગોને લાત મારી, પોતાનાં અત્યંત પ્રિય પિતા, પત્ની અને પુત્રને તજી દઈને કોમળશરીરી કુમાર સિદ્ધાર્થે પોતે જોયેલ દુ:ખનું મૂળ શોધવા એક વૈજ્ઞાનિકની પેઠે દેહદમનનું ઉગ્ર તપ શરૂ કર્યું. તેમના સમયમાં સાધકો સુખની શોધ માટે દેહદમન કરતા હતા, તે જ પરંપરાને અનુસરીને કુમાર સિદ્ધાર્થ પણ ભિક્ષુ બની એકાંતમાં અરણ્યમાં, પર્વત ઉપર કે નદીકાંઠે ભારે તપ તપવા લાગ્યો અને અંતર્મુખ થઈ પોતાના ધ્યેયની સિદ્ધિ માટે સતત પ્રયત્ન કરવા માંડ્યો. પોતાના નગર કપિલવસ્તુથી તે પ્રથમ ભિક્ષુને વેષે રાજગૃહ (વર્તમાન રાજગિર) પહોંચ્યો. રાજગૃહ પહોંચતાં-પહોંચતાં સાદું ખાનપાન એટલે વનફળ, કંદમૂળ વગેરેનું ભોજન અને ઝરણાં કે નદીનું ચોખ્ખું પાણી—તેના ઉપર તે પોતાનો નિભાવ કરવા લાગ્યો. રાજગૃહ પહોંચી તે પ્રાચીન પરંપરા પ્રમાણે હાથમાં ભિક્ષાપાત્ર લઈને રાજગૃહના રસ્તાઓ ઉપર ફરવા લાગ્યો અને યથાપ્રાપ્ત ભિક્ષા વડે પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. ભિક્ષુ સિદ્ધાર્થ ચમાર-ઢેડથી માંડીને ઠેઠ બ્રાહ્મણ સુધીની અઢારે વરણનાં ઘરોમાં ભિક્ષા માટે ફ૨તો. જેમ ભમરો ફૂલને ઓછામાં ઓછી પીડા ઊપજે તે રીતે તેમાંથી રસ ચૂસે છે, તેમ ભિક્ષુ સિદ્ધાર્થ પણ દાતાઓને પોતાનો બોજો ઓછામાં ઓછો લાગે તે રીતે તેમને ઘેરથી કટકા-બટકાની એટલે ખાધા પછી વધેલઘટેલ અન્નની ભિક્ષા લેવા લાગ્યો. જ્યારે એ પ્રથમ ભિક્ષાને લઈને રાજગૃહના પાંડવપર્વત તરફ વળ્યો, ત્યારે તેનું પાત્ર વિવિધ અન્નથી ભરાયેલું હતું. તે જોઈને તેને ઊબકા આવવા લાગ્યા અને કેમ જાણે મોં વાટે આંતરડાં બહાર નીકળી જતાં હોય એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy