SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - સંગીતિ અંધારું જ અંધારું સંસારમાં રહેતું નથી એવો પ્રાકૃતિક નિયમ અટલ છે. સમગ્ર જનતા જ્યારે રૂંધાવા માંડે છે, ત્યારે તેની અભિલાષા પોતાના રૂંધનને દૂર કરવા એવી તીવ્ર થાય છે, કે ગમે ત્યાંથી ગમે તે રીતે એવી કોઈ શક્તિ આવીને જનતાની એ રૂંધનને મટાડવા પોતાની તમામ પુરુષાર્થ ફોરવે છે અને છેલ્લે એ શક્તિ પોતાના પ્રાણને પણ હોડમાં મૂકી જનતાના એ રૂંધનને દૂર કરવા પુરુષાર્થ કરતી રહે છે. જનતાનું સંકલ્પબળ જ એ શક્તિને સંસારમાં આણે છે. આપણા ભારતીય ઇતિહાસમાં રામ, કૃષ્ણ, વર્ધમાન મહાવીર અને સિદ્ધાર્થ બુદ્ધ એ બધી વિશિષ્ટ શક્તિઓ તે તે સમયની પિસાયેલી, ભીંસાયેલી, દબાયેલી એ દુઃખત્રસ્ત જનતાના સંકલ્પબળના ઉદાહરણરૂપે જન્મેલી છે એમ જરૂર ગણાવી શકાય. સત્ અને અસતુ, બ્રહ્મ અને માયા, દેવ અને દાનવ, સંત અને સંતાન કાંઈ આજકાલનાં નથી. સંસારમાં એ બધાં અનાદિથી જ પોતાનું પરિબળ બતાવતાં આવે છે. કોઈક વાર દેવ ફાવે અને કોઈક વાર દાનવ ફાવે, કોઈક વાર સંત ફાવે તો કોઈક વાર સેતાન ફાવે. દેહધારી માનવ જ્યારે કેવળ દેહનો ગુલામ બને છે, સ્વચ્છેદી વાસનાઓ જ તેનો કબજો લે છે અને મોટા પ્રમાણમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે દાનવ ફાવ્યો ગણાય. દાનવનું જ્યારે પરિબળ હોય છે ત્યારે અસત્, અન્યાય, જૂઠ, સ્વચ્છંદ, અજ્ઞાન વગેરે વૃત્તિઓ જોરમાં હોય છે; એટલું જ નહીં, પણ સંતાનના રાજયમાં ફસાયેલી જનતા અન્યાયને ન્યાય સમજે છે, જૂઠને સાચા માને છે, હિંસાને અહિંસા ધારે છે, સ્વાર્થ માટે માણસને પણ પશુ માનવા લાગે છે, મધને અમૃતનું સ્થાન આપે છે અને આમ કરીને એ ભારે ભીંસમાં આવે છે. જ્યારે પ્રાણ કંઠ સુધી આવી જાય અને પોતે સંતાનના જતરડામાં ફસાયેલ છે એવું ભાન આવતાં તે તેમાંથી છૂટવા ભારે તરફડિયાં મારે છે અને કોઈ સંતને સાદ દેવા માંડે છે. બરાબર એ વખતે તેના પ્રબળ સંકલ્પને બળે સંત પણ હાજર થઈ તે સેતાનના રાજયને સાફ કરવા માંડે છે અને વળી પાછાં ન્યાય, નીતિ, સાચ વગેરે પ્રજામાં આવવા માંડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પોતાનાં સ્વચ્છંદ, અજ્ઞાન, સ્વાર્થ અને વિલાસ–વૈભવોને લીધે પોતે હેરાન હેરાન થઈ ગયેલા અને આમ જનતા પણ ત્રાસ પામી ગયેલી, બરાબર આવે વખતે લોકદીપક બુદ્ધનો જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy