________________
૧૫. લોકદીપક બુદ્ધગુરુ
(વ્યક્તિના જીવનમાં જ રથચક્રના આરાની માફક ઊર્ધ્વગતિ ને અધોગતિ આવે છે એમ નથી. એક સંસ્કૃતિથી સૂક્ષ્મ રીતે સંકળાયેલો સમસ્ત સમાજ પણ ‘ચક્રનેમિક્રમેણ’ચક્રના આરાના ક્રમ અનુસાર વર્તે છે. ચારેય બાજુથી અસત્, અનીતિ, દુરાચરણ, અન્યાય, જૂઠ, અજ્ઞાન વગેરે હીન વૃત્તિઓની અરાજકતા પ્રવર્તી રહેલી હોય છે, ત્યારે કોઈ મહાવિભૂતિનું આગમન થાય છે, અને સમાજસમસ્તને એ સાચો રાહ દર્શાવે છે. ભગવાન બુદ્ધનો જન્મ પણ એવા જ મહાન કાર્ય માટે એવા જ સંયોગોમાં થયો. પ્રચલિત માન્યતાઓ ને સુવિદિત કથાઓ કરતાં કંઈક વિશેષ અભ્યાસના પરિપાકરૂપે બુદ્ધદેવનું મૂલ્યાંકન અહીં નજરે પડે છે. આ મહિનાની નવમી તારીખેવૈશાખી પૂનમને દિને બુદ્ધજયંતી આવે છે, તેથી આ લેખનું મહત્ત્વ વધે છે.)
રથનાં પૈડાની પેઠે સંસારનું પૈડું ફર્યા જ કરે છે. કોઈ વાર તે ઊંચે આવતું જણાય છે, કોઈ વાર તે નીચે આવતું જણાય છે. તે પળવાર પણ સ્થિર રહેતું નથી. જ્યારે તે ઊંચે આવતું હોય છે ત્યારે જનતામાં વિવેકની સ્ફુરણાને લીધે અન્યાય ઓછો અને ન્યાય વધારે હોય છે, અસત્ય ઓછું અને સત્ય વધારે હોય છે, માણસ માણસ વચ્ચે સદ્ભાવ વધારે અને ઈર્ષ્યા, દ્વેષ, મત્સર ઓછાં હોય છે. અને જયારે તે નીચે આવતું હોય છે, ત્યારે અન્યાય વધારે અને ન્યાય ઘણો ઓછો દેખાય છે, અસત્ય વધારે પ્રમાણમાં અને સત્ય ભાગ્યે જ દેખાય છે, માણસ માણસ વચ્ચે ઈર્ષ્યા, દ્વેષ, મત્સર અને સ્વાર્થવૃત્તિ તથા સ્વચ્છંદાચાર અધિક હોય છે અને સદ્ભાવ, નિઃસ્વાર્થપ્રવૃત્તિ તથા સંયમ, શીલ વગેરે ઓછાં દેખાય છે.
જે સમયે સંસારના પૈડાની ગતિ નીચી હોય છે, ત્યારે પ્રકૃતિના નિયમ પ્રમાણે એ કોઈ એવી શક્તિ જગતમાં મોકલે છે કે એ શક્તિના પુરુષાર્થ વડે વળી પાછું સંસા૨૨થનું પૈડું ઊંચી ગતિએ આવે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એમ ચાલ્યા જ કરે છે. કેવળ પ્રકાશ જ પ્રકાશ કે કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org