________________
૧૨૦ ♦ સંગીતિ
હોય, તે તો તેને જીતી જાય છે અને પૂર્ણ શાંતિને પામે છે. एस मुजं परिहरे रित्थु इय जीवितं ।
संगामे मे मतं सेव्यो यं चे जीवे पराजितो ॥
સાર : “માર ! તું એમ સમજી લે કે આ સાધક જેવો-તેવો નથી, તેણે તો લડાઈમાં મરવું સ્વીકારીને જ આ સંગ્રામ શરૂ કરેલો છે અને એ માટે તો આ મુંજનું ઘાસ માથે બાંધેલું છે. જે યોદ્ધો લડાઈમાં હારીને પાછો ફરે તેનું જીવન ધિક્કારને પાત્ર છે. હારીને જીવવા કરતાં તો મરવું જ શ્રેયરૂપ છે એમ મારો દઢ સંકલ્પ છે.’
છેવટ માર થાક્યો અને તે બોલવા લાગ્યો કે :
सत्त वस्सानि भगवंतं अनुबंधिं पदापदं ।
तारं नाधिगच्छस्सं संबुद्धस्स सतीमतो ||
સાર : “હું ભગવાનની પાછળ પાછળ નિરંતર સાત વરસ સુધી ફર્યા કર્યો, પણ આ ભારે ચકોર અને તીવ્ર જાગ્રત સ્મૃતિવાળા સંબુદ્ધ પુરુષમાં ક્યાંય પેસવા જેટલું જરા પણ કાણું મેળવી શક્યો નહીં.”
આ રીતે મહાશૂર સિદ્ધાર્થ રાજપુત્રે સાત વરસ સુધી મારની સેના સાથે ખાંડાના ખેલ ખેલ્યા; પરંતુ છેવટે માર પોતે જ હાર્યો અને વૈશાખી પૂર્ણિમાને દિવસે આજથી પચીસસો વરસ પહેલાં એ રાજપુત્ર સિદ્ધાર્થ, ભગવાન બુદ્ધ બની ગયા અને સારા ભારતમાં ભારે પ્રકાશ ફેલાવ્યો.
અખંડ આનંદ, મે - ૧૯૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org