________________
ભગવાન બુદ્ધ ૦ ૧૧૭ સાર : એ માર મારી પાસે આવીને જાણે મારી દયા ખાતો હોય તેમ મને કહેવા લાગ્યો : “અરે સુકુમાળ રાજપુત્ર ! તું ઘણો દૂબળો પડી ગયો છે, તારું રૂપ પણ જતું રહ્યું છે અને તું ઝાડના ઠૂંઠા જેવો દુર્વર્ણ લાગે છે. અરે ભલા યુવાન ! મને લાગે છે કે હવે તારું મોત તારી અડોઅડ આવી ગયું છે. सहसभागो मरणस्स एकंसो तव जीवितं ।
जीव भो जीवितं सेय्यो जीवं पुञ्ञानि काहसि ॥
સાર : “અરે ભોળાભાઈ ! તારામાં મરણનાં તો હજારો ચિહ્નો દેખાઈ રહ્યાં છે, તારું જીવન તો માત્ર હવે એક ટકો જ બાકી છે. ભલા માણસ ! જીવવાનો પ્રયત્ન કર, જીવવું એ જ શ્રેય છે, જીવતો નર ભદ્રા પામે એ વાત તું કેમ ભૂલી જાય છે ?
चरतो च ते ब्रह्मचरियं अग्गिहुत्तं च जूहतो । पहूतं चीयते पुञ्ञ किं पधानेन काहसि ॥
સાર : “ભલે ને તું બ્રહ્મચર્ય પાળ, અગ્નિહોત્ર કરીને હવનહોમ કર્યા કર અને એમ કરવાથી તને ઘણું ઘણું પુણ્ય મળશે, તો પછી તું આ નિર્વાણની શોધના લફરામાં ક્યાં પડ્યો ?
दुग्गो मग्गो पधानाय दुक्करो दुरभिसंभवो ।
इमा गाथा भणं मारो अट्ठा बुद्धस्स सन्तिके ॥
સાર : “અરે ભાઈ ! નિર્વાણનો રસ્તો ભારે કઠણ છે, એ રસ્તે ચાલી શકવું વિશેષ મુસીબતભર્યું છે અને લગભગ માણસ માટે તો એ તદ્દન અસંભવિત જેવું છે, માટે હું તને ચેતવું છું કે અહીંથી જ તું પાછો વળી જા.' આ ગાથાઓને બોલતો અને ડર બતાવતો માર (તૃષ્ણાની સેના) બુદ્ધની પાસે આવીને ઊભી રહી.
Jain Education International
तं तथावादिनं मारं भगवा एतदब्रवि । पत्तबंधु पापिम येनत्थेन इधागतो ॥
સાર : જ્યારે મારે ભગવાનને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે ધીરગંભીર પ્રશમમય બુદ્ધે તેને જવાબ આપતાં શરૂઆતમાં જ જણાવી દીધું કે, “હે પાપિયા, પ્રમાદીવૃત્તિવાળાના બેલી ! તું અહીં શા માટે આવ્યો છે, તે હું બધું બરાબર જાણું છું.”
अणुमत्तेनऽपि पुजेनं अत्थो मव्हं न विज्जति । येसं च अत्थो पुञ्जानं ते मारो वत्तुमरहति ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org