SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ૦ ૭૯ પેઠે એનેક પ્રકારનાં સુખ, ભોગો, રાજય વગેરે પામે. ભગવાનની ગંધથી પૂજા કરે તે સુગંધી શરીર પામે, સૌભાગ્ય પામે અને સુંદર સાથ પામે. કહે છે કે દમયંતી રાણીના કપાળમાંથી ભારે તેજ નીકળતું હતું, તેનું કારણ તેણે કોઈ એક જનમમાં ભગવાનના કપાળ ઉપર રત્નમય ટીલાં ચડાવેલાં હતાં ! રાજા કુમારપાળે ફક્ત પાંચ કે બાર કોડીનાં ફૂલો વડે ભગવંતની પૂજા કરેલી તેથી તે અઢાર દેશનું રાજય પામ્યો હતો. પાંચમને દિવસે ઉપવાસ કરવાથી અને પુસ્તકોની પૂજા કરવાથી વિદ્યા મળી શકે છે. ભગવાનનાં દર્શન કરવાથી સુખસંપદા મળે છે અને નવે નિધાન પમાય છે. આઠમને દિવસે ઉપવાસ વગેરે કરી આઠમની આરાધના કરવાથી આઠ મહાસિદ્ધિઓ મળે છે. એ જ પ્રકારે એકાદશીને દિવસે ઉપવાસ વગેરે કરીને અને અગિયાર અગિયાર વસ્તુઓ મંદિરમાં કે ઉપાશ્રયમાં મૂકવાથી પણ ઘણાં ઘણાં સુખો મળે છે. આઠમ, ચૌદશ વગેરે મોટી તિથિઓમાં શાક વગેરે લીલી વસ્તુ ન ખાવાથી ઘણું પુણ્ય થાય છે. અમુક સ્તોત્રને સાંભળવાથી રોગો થતા નથી અને થવાના હોય તો તે નાશ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના નામમાં એવો ચમત્કાર છે કે તેના સ્મરણથી દુઃખ દુર્ભાગ્ય વગેરે દોષો નાશ પામે છે, ગરીબાઈ ટળી જાય છે અને લક્ષ્મી વધે છે. સૂરજ ઊગ્યા પછી જ જમવાનું વ્રત કરે તેથી એટલે નમુક્કારસહિતનું પચ્ચખાણ કરવાથી ઘણું નરકનું પાપ મટી જાય છે. એ જ પ્રકારે નવ વાગ્યા પછી જ ખાવાનું વ્રત લેનારનું વળી ભારે નરકનું પાપ કપાઈ જાય છે. વીતરાગની પૂજા કરનારો રાજા થાય છે, દેવ થાય છે અને ઇંદ્ર પણ એની સેવા કરે છે. જે માણસ જીવો ઉપર અનુકંપા રાખે છે તે જન્માંતરમાં લાંબુ આયુષ્ય, અરોગી શરીર, અસાધારણ રૂપ, ભારે શક્તિ, ઉત્તમ સૌભાગ્ય, અસાધારણ ભોગ, નિર્મળ જશ, આજ્ઞાંકિત પરિવાર, નાશ ન પામે તેવી લક્ષ્મી એ બધું પામે છે. આ રીતે ધર્મને પાળવાનાં છેક બાહ્ય અનુષ્ઠાનોના આવા આવા અનેક ફલાતિદેશો શાસ્ત્રકારોએ વર્ણવેલા છે અને આ રીતે ફળકથનની પદ્ધતિ આજ બે હજાર વરસથી તો ચાલી જ આવે છે. આ ફલકથનો ખોટાં જ છે એમ કહેવાનું નથી, પરંતુ તે ફળકથન કરનારા જ પોતે કહે છે કે એ બાહ્ય અનુષ્ઠાનોની અસર મનમાં ન થાય વા એનાથી મનમાં અહિંસાદિક યમનિયમોના પ્રબળ સંસ્કારો ન બેસે તો કોઈ કાળે સાધક, અતીંદ્રિય ચેતનતત્ત્વને ઓળખી શકવાનો નથી જ અને તેનું બધું કર્યું-કારવ્યું ધૂળધાણી સમજવાનું છે, અને જે ભયાનક હિંસાદિક સંઘર્ષો અટકાવવા માટે એ બાહ્ય અનુષ્ઠાનો વિહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy