SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વાપભપંચાશિકા, [ શીષભાઇઆ ત્રણે જણાએ પોતપોતાની વૃત્તાન્ત પરસ્પર નિવેદન કર્યો, પરંતુ તેનો તેઓ ભાવ કળી શક્યા નહિ. એવામાં રાષભ (બળદ)ની લીલાએ ગમન કરતા રાષભ પ્રભુ નગર– જનોની દૃષ્ટિએ પડ્યા. તેમને જોતાં કોઈ તેમને સ્નાન–જલ માટે, તો કોઈક અંગરાગ માટે, તો કોઈક અલંકાર માટે તો કોઈક વસ્ત્ર માટે વિનવવા લાગ્યા. કોઈક તેમને કન્યા અર્પણ કરવા તૈયાર થયા, તો કોઈક તેમને હાથી, ઘોડા પ્રમુખ વાહનો આપવા અધીરા બન્યા. કોઈક તેને પાકી કેરી આપવા લાગ્યા તો કોઈક પાન-સોપારી આપવા લલચાયા. પ્રભુએ આમાંથી કંઈ પણ નહિ સ્વીકારતાં માધુકરી વૃત્તિ અનુસાર ઘેરે ઘેર ફરવા માંડ્યું આથી નગરમાં ઘણો કોલાહળ મચી ગયો. શ્રેયાસે તેની તપાસ કરાવી તો તેને માલુમ પડ્યું કે પોતાના પ્રપિતામહ ઋષભદેવ નગરને પાવન કરી રહ્યા છે. આ જાણતાંજ તે ઉઘાડે પગે તેમને વન્દન કરવાને સારુ દોડ્યો. તેમની સમીપ જઈ તેણે તેમને પ્રણામ કર્યા અને તેમના વેષ વિષે ઊહાપોહ કરવા લાગ્યો. તેમ કરતાં તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. આથી પૂર્વ ભવમાં ત્રષભદેવ વજુનાભ નામે ચક્રવત થયા હતા, ત્યારે પોતે તેને સારથિ હતો તેમજ તે બંનેએ વજનાભના પિતા શ્રીવસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, એ વાત તેના જાણવામાં આવી. એવામાં કોઈક મનુષ્ય ત્યાં આવીને શ્રેયાંસને નવીન ઈશુ-રસથી પરિપૂર્ણ ઘડાઓ ભેટ કર્યા. આ આહાર પ્રભુને ઉચિત છે એમ જાતિ-સ્મરણ જ્ઞાનથી જાણીને તેણે તે ગ્રહણ કરવા પ્રભુને વિજ્ઞપ્તિ કરી. તદનુસાર પ્રભુએ તે ગ્રહણ કરવા હસ્તરૂપી પાત્ર આગળ ધર્યું. તેમાં તે ઘડાઓ ખાલી કરતો ગયો. પ્રભુના હસ્તમાં તે રસ તો સમાઈ ગયો, પરંતુ તદંગે ઉદ્દભવતો આનન્દ તો શ્રેયાંસના હૃદયમાં સમાય નહિ. પ્રભુએ આ પ્રમાણે પ્રથમ પારણું કર્યું, તેથી દેવતાઓએ ત્યાં અહો દાન અહો દાન એવી ઉદ્દઘોષણા કરી, દિવ્ય વાજીંત્રો વગાડ્યાં તથા વસુધારાની વૃષ્ટિ કરી. જુઓ આવશ્યક નિર્યુક્તિ (ગા) ૩૨૦-૩ર૧). શ્રેયાંસે ઈલ્સ-રસનું દાન વૈશાખ માસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું હોવાથી તે દિવસ અક્ષય તૃતીયાના નામથી પ્રસિદ્ધ થયો. આ ઉપરથી જોઇ શકાય છે તેમ દાન-ધર્મ શ્રેયાંસથી પ્રવર્યો, જ્યારે સર્વ વ્યવહાર અને નીતિનો કમ પ્રભુથી પ્રવર્યો. પ્રસંગોપાત્ત એટલું નિવેદન કરી શ્રેયાસે દીધેલા દાનની વારંવાર પ્રશંસા કરતો હું આ પ્રકરણ પૂર્ણ કરું છું. ૧ તીર્થંકર પાત્ર રાખતા નથી. તેઓ આહારને હસ્તરૂપી પાત્રમાં જ ધારણ કરે છે. હથેલીમાંથી રસમય પદાર્થ પણ ટપકી પડતો નથી એ તેમની વિશેષતા છે. આ વાતનું ભગવતીસૂત્ર (શ૦ ૧૫) સમર્થન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy