SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ વિનમી નમિ અને વિનમિ, (ર)=બેચર. દિવ (ષિા)=સ્વામી, પતિ. શેકવિ -બેચર-પતિઓ. કાયા (ગાતી)=થયા. હશાળા (ગુal)ગુરૂની. વળ (ચળ)=ચરણ, પગ. કષભપંચાશિકા. શિયન| સેવા (સેવા)=ઉપાસના, ભક્તિ, સેવા ચરણ-સેવા. ()=નહિ. નિડા (નિ )=નિષ્કલ, નિરર્થક દોર (મવતિ)=થાય છે. ar (૪)કોઈ કાળે. પધાર્થ ગુરૂની સેવાને પ્રતાપ– મુનિ બનેલા (અર્થાત લેકોત્તર માર્ગને ધારણ કરેલા એવા) તારા ચરણમાં અત્યંત લીન થયેલા નમિ અને વિનમિ ખેચરપતિઓ થયા, (તે વારતવિક છે, કેમકે) ગુરૂઓની (ખરા અંતઃકરણપૂર્વક કરેલી) ચરણસેવા કદાપિ નિષ્ફળ જતી નથી.”—૧૪ સ્પષ્ટીકરણ પૂર્વ પદ્ય સાથે સંબંધ – જ્યારે મૌન-વ્રત ધારણ કરેલા પ્રભુના દર્શન માત્રથી પણ મન પ્રસન્નતાદિ લાભ મળે, તો પછી તેની ભક્તિ કરવાથી વિશેષ ફળ મળે છે એટલું જ એના ઉત્તર રૂપે આ પદ્ય રચવામાં આવ્યું છે. નમિ અને વિનમિ બહષભ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતને કચ્છ અને મહાકચ્છ નામના બે પુત્રો હતા. વળી આ બેને નમિ અને વિનમિ એમ એક એક પુત્ર હતો. આ બે પુત્રો પ્રથમ તીર્થંકરે દીક્ષા લીધી તે પૂર્વે તેમની આજ્ઞાનુસાર દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા વળતાં તેઓએ તેમના પિતાશ્રીઓને વનમાં 'વિચિત્ર સ્વરૂપે જોયા એટલે તેઓએ તેમને તેનું કારણ પૂછયું. તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે તમારા ગયા બાદ ઋષભ પ્રભુએ રાજ્યનો ત્યાગ કરી ભરતાદિકને સમસ્ત પૃથ્વી વહેંચી આપી પોતે સંયમરૂપ સામ્રાજ્યનો સ્વીકાર કર્યો. તેમની સાથે અમે પણ સાહસથી દક્ષા-ગ્રહણ કરી, પરંતુ ભૂખ, તરસ, ટાઢ, તડકો ઈત્યાદિથી ખેદ પામી અમે તો લીધેલું વ્રત મૂકી દીધું. ગૃહસ્થાવાસનો સ્વીકાર તો અમારાથી હવે થાય તેમ નથી, તેથી અમે આ તપોવનમાં વસીએ છીએ. ૧ ઝીણાં વસ્ત્રને બદલે વલ્કલ વસ્ત્ર, શરીર ઉપર અંગરાગને બદલે પશુને યોગ્ય પૃથ્વીની રજ, પુષ્પ વડે ગુંથેલ કેશ–પાશને બદલે વડના ઝાડના જેવી લાંબી જટા, હાથી ઉપર આરોહણ કરવાને બદલે પાળાની માફક પગે ચાલવું ઈત્યાદિ વિચિત્રતા હતી. જુઓ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, સ૦ ૩, લો. ૧૨૭–૧૨૮). ૨ ક્ષધાને જીતનારા પ્રભુ અને અમે તો અન્નના કીડા, તૃષાને તિલાંજલિ આપનારા તે નાથ અને અમે તો જળના દેડકા જેવા, તાપને સહન કરનારા તે સ્વામી અને અમે તો છાયાના માંકડ જેવાટાઢથી નહિ પરાભવ પામનારા તે પ્રભુ અને અમે તો વાંદરાની માફક ટાઢથી ધ્રુજનારા, નિદ્રા-રહિત પ્રભુ અને અમે તે ભકર્ણના જેવી નિદ્રા લેનારા, નિત્ય નહિ બેસનારા પ્રભુ અને અમે તે આસનમાં પાંગળા જેવા એવા અમે વિવેક રહિત કાર્ય કર્યું તેથી આ સાહસ કહેવાય. જુઓ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, સ, ૩, શ્લો૦ ૧૧૨-૧૧૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy