SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૪૫ પિણીઓ અને અવસર્પિણીઓ પસાર થઇ ગઇ છે અને હવે પછી પણ એવી અનન્ત પસાર થશે, કેમકે કાળનો કંઈ અવિધ નથી. અત્યારે કાલ–ચક્રનો ‘હુંડા અવસર્પિણી’ નામનો વિભાગ પ્રવર્તે છે અને તેમાં પણ વળી તેના ઉત્સાપણીની જેમ પાડવામાં આવતા છ પેટા-વિભાગો કે જેને આરા (સં. ર) કહેવામાં આવે છે, તે પૈકી ચાર વ્યતીત થઈ ગયા છે. અત્યારે પાંચમો આરો પ્રવર્તે છે.' ઉત્સર્પિણીના છ આરાઓને અનુક્રમે (૧) દુઃખમ-દુઃષમ, (૨) દુઃષમ, (૩) દુઃષમ-સુષમ, (૪) 'સુષમ-દુઃખમ, (૫) ‘સુષમ અને (૬) °સુષમ–સુષમ એ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે ઉત્સાપણીથી અવાર્પણી વિપરીત લક્ષણવાળી હોવાથી એના પ્રથમ આરાને સુષમસુષમ, બીજા આરાને સુષમ એમ છઠ્ઠા આરાને દુઃષમ-દુઃષમ તરીકે ઓળખાવવામાં આવે છે. (૧) ચાર કોડાકોડી સાગરોપમ, (૨) ત્રણ કોડાકોડી સાગરોપમ, (૩) એ કોડાકોડી સાગરોપમ, (૪) એક કોડાકોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન, (૫) ૨૧૦૦૦ વર્ષ અને (૬) ૨૧૦૦૦ વર્ષ એ અવર્પિણીના છ આરાઓનું અનુક્રમે માપ છે. અવર્સાપણીના પ્રથમ આરામાં અસ્તિત્વ ધરાવનારા મનુષ્યોનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે, જ્યારે તેની ઊંચાઇ ત્રણ ગાઉની હોય છે અને તેઓ ત્રણ ત્રણ દિવસને અન્તરે ભોજન કરે છે. બીજા આરામાંના જીવોનું આયુષ્ય એ પલ્યોપમનું હોય છે, તેમની ઊંચાઇ એ ગાઉની હોય છે અને તેઓ ખમ્બે દિવસને અન્તરે ભોજન કરે છે. એ પ્રમાણે ત્રીજા આરા (ના ત્રણ ભાગો કલ્પવામાં આવે તો તેના પ્રથમના બે તૃતીયાંશ)માં એક પલ્યોપમના આયુષ્યવાળા, એક ગાઉની ઊંચાઇવાળા અને એકેક દિવસને અન્તરે ભોજન કરનારા મનુષ્યો હોય છે. ( અન્તિમ તૃતીયાંશમાં તો અવર્પિણી કાળના પ્રભાવને લઇને આયુષ્યાદિક ઘટતું જતું હોવાથી તેમના સંબંધમાં કંઈ ચોક્કસ નિયમ નથી. આ અન્તિમ તૃતીયાંશમાં કુલકરો ઉત્પન્ન થયા હતા એ વાતની જëદ્રીપ-પ્રજ્ઞપ્તિનું ૨૮ મું સૂત્ર સાક્ષી પૂરે છે.) આ જમ્મૂદ્રીપના હિમવાનું પ્રમુખ છ પર્વતોને લઇને જે ભરત વિગેરે સાત વિભાગો કે જેને ક્ષેત્ર' કહેવામાં આવે છે તે પૈકી કુરૂક્ષેત્રમાં સર્વદા પ્રથમ આરો, હરિવર્ષે અને રમ્યકમાં દ્વિતીય, હૈમવત અને હૈરણ્યવતમાં તૃતીય અને “અંતદ્વીપ તથા મહાવિદેહમાં ચોથો આરો પ્રવર્તે છે (અર્થાત્ આ ક્ષેત્રોમાં આવા આરાના જેવો પ્રભાવ હોય છે), જ્યારે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તો અનુક્રમે છએ આરા પ્રવર્તે છે (આથી કરીને અવસર્પિણીના તેમજ ઉત્સર્પિણીના ત્રીજા ચોથા આરામાંજ ચોવીસ ચોવીસ તીર્થંકરો આ એ ક્ષેત્રમાં થાય છે; બાકી ૧ અત્યારે કળિયુગ પ્રવર્તે છે એમ હિન્દુઓ કહે છે. ૨ અતિશય દુઃખમય. (૩) દુ:ખમય. (૪) દુઃખ ઘણું અને સુખ થોડું. (પ) સુખ ઘણું અને દુઃખ થોડું. (i) સુખમય. (૭) અતિશય સુખમય. ૮ આ સૂત્રમાં પંદર કુલકરો ગણાવ્યા છે, જ્યારે મેં ૩૯મા પૃષ્ઠમાં તો સાત ગણાવ્યા છે તેનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત કરનારે આ સૂત્ર ઉપરની ટિપ્પણી જોવી (પત્રાંક ૧૩૨ ). હ કુરૂક્ષેત્ર એ મહાવિદેહનો એક વિભાગ છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂ એમ એના બે ભેદ છે. ૧૦ બધા મળીને અંતર્દીપો ૫૬ છે. એની માહિતી માટે જુઓ પ્રવચન-સારોદ્ધારના ૨૬૨મા દ્વારની વૃત્તિ. ૧૧ અવસર્પિણીના ત્રીજા આરાના અન્તમાં પ્રથમ તીર્થંકર (તેમજ પ્રથમ ચક્રવર્તી)નો જન્મ થાય છે, જ્યારે ચોથા આરામાં બાકીના ત્રેવીસ તીર્થંકરો (તેમજ અન્ય શલાકાપુરૂષો) સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy