SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपश्चाशिका. શબ્દાર્થ ઘઉં (શિ)=તું. | Twદુર (જલ્પદ્રુમ) કલ્પવૃક્ષ. ચિંતા (ન્તિા)-ચિન્તા, સંકલ્પ. acqદુ=અપૂર્વ કલ્પવૃક્ષ. ૯૪૬ (ડુમ)=દુર્લભ. વરૂ (કવતી)=અવતર્યો. મુવ (મોક્ષ)=મુક્તિ, સિદ્ધિ. વાત (તાવ) કલ્પવૃક્ષો. ગુa ()=સુખ. થગુરૂ! (નાદુરો!)=હે જગદ્ગુરૂ, હે વિશ્વના ગુરૂ! () ફળને આપનાર. વિતામુarv=ચિન્તા વડે દુર્લભ દિથા (દીપા )=શરમાઈ ગયેલા. એવા મોક્ષના સુખરૂપ ફળને આપનાર. ફુવ (ફ્વ)=જેમ. શકર (પૂર્વ)=અસાધારણ. પોથ પ્રોષિતા )=પ્રવાસે ગયા, દૂર થયા. પધાર્થ પ્રભુના અવતારનો પ્રભાવ સંકલ્પ વડે દુર્લભ એવા મોક્ષના સુખરૂપ ફળને આપનારો એવો તું અપૂર્વ કલ્પવૃક્ષ (આ પૃથ્વી ઉપર) અવતર્યો એટલે કે વિશ્વના ગુરૂ! કલ્પવૃક્ષે જાણે શરમાઈ ગયાં હોય તેમ તેઓ અદૃશ્ય થઈ ગયાં.”—૬ સ્પષ્ટીકરણ જગદગુરૂને વિચાર– જગદ્ગુરૂ થવું એ કંઈ બાળકનો ખેલ નથી, કેમકે જેણે ગુરૂ થવાની પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી હોય તેજ આ બિરૂદને દીપાવી શકે. વળી પોતે પોતાની જાતને જગદ્ગુરૂ તરીકે ઓળખાવે તેમાં કંઈ મહત્તા નથી. પરંતુ તેવા ગુણે જે વ્યક્તિમાં દષ્ટિગોચર થતા હોય તેને જગત્ તે રૂપે સ્વીકારે એમાં ખરું મહત્ત્વ રહેલું છે. જગગુરૂ બનનારે જગતના કલ્યાણાર્થે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. કોઈ પણ જીવનું અહિત ન થાય એ એનું લક્ષ્ય બિન્દુ હોવું જોઈએ. પોતાનું ચારિત્ર આદર્શરૂપ હોવું જોઈએ કે જેથી અન્ય તેનું અનુકરણ કરી શકે. જગદ્ગુરૂની વાણીમાં કડવાશ, કઠોરતા કે તુચ્છતાને માટે સ્થાન હોઈ શકે નહિ, છતાં તેમનો ઉપદેશ સચોટ હોય એમાં નવાઈ જેવું નથી, કેમકે તેઓ પદાર્થની પ્રરૂપણું કરતાં પ્રતિપાદન શિલીનો ઉપયોગ કરે એ સ્વાભાવિક છે, કેમકે યથાર્થ સ્વરૂપ રજુ કરવું એજ તેમના ઉપદેશનો ઉદ્દેશ હોય શકે. વળી જેવો ઉપદેશ તેઓ અન્યને આપે તદનુરૂપ તેમનું વર્તન હોય એમાં તો કહેવું જ શું? અર્થાત્ “મનાં વચ્ચે વર્મળે દિ મહામનાનું” એ સૂત્ર તેમનામાં સંપૂ તઃ ચરિતાર્થ થાય જ. પક્ષપાતનો તો તેમનામાં સર્વથા અભાવ હોય એ દેખીતું છે; કેમકે રાગ અને દ્વેષને જલાંજલિ આપ્યા વિના જગદ્ગુરૂત્વ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણેના અનેક ગુણોથી વિશિષ્ટ જગદગુરૂનું યથાર્થ સ્વરૂપ આલેખવા આ લેખિની સમર્થ નથી, તેથી કરીને ૧ ખરી રીતે કાળના પ્રભાવને લઈને કલ્પવૃક્ષોનો ઉછેદ થવાનો સમય આવી રહેલો હતો અને તેવામાં પ્રથમ તીર્થંકરનો જન્મ થયો એટલે તેમણે જાણે જન્મ લીધે તેથી આ બનાવ બન્યો એમ કવિરાજ ઉક્ષા કરે છે. ઋષભ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy