SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ विरचिता] ऋषभपञ्चाशिका. શું ક્ષાપશમિક સમ્યકત્વ ક્ષાયિક સમ્યકત્વને અટકાવનારું છે?— આ પ્રશ્નનો ઉત્તર “હાકારમાં છે. પરંતુ આમ ઉત્તર આપવાથી એવી શંકા ઉદ્દ્ભવે છે કે ક્ષાયોપથમિક સભ્યત્વ તત્વશ્રદ્ધાનને ઉત્પન્ન કરનારું હોઈ કરીને વિદ્યરૂપ કેમ બની શકે ? આના જવાબમાં જે એમ કહેવામાં આવે કે તે મિથ્યાત્વ જાતિનું હોવાથી તે વિહ્વરૂપ છે, તો તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા મિથ્યાત્વ જાતીયથી આત્મ-શ્રદ્ધાને સંભવ કેમ મનાય વારૂ? આ સંબંધમાં નીચેનાં બે દષ્ટાન્તો વિચારવા આવશ્યક છે. એ તો દેખીતી વાત છે કે સૂક્ષ્મ અભ્રકરૂપ આવરણથી આચ્છાદિત થયેલો દીપક પણ કાંઈક ન્યૂન પ્રકાશ આપે છે, પરંતુ આ આવરણ દૂર થતાં તેની કાંતિ વિશેષતા ઝળકી ઊઠે છે. એવી જ રીતે કિંચિત્ મલિન વસ્ત્રમાં ઢંકાયેલા મણિનું તેજ પણ સહેજ ઓછું જણાય છે, પરંતુ સ્વચ્છ વસ્ત્રમાંથી તેની પ્રભા વિશેષ પડે છે. તેવી જ રીતે પ્રસ્તુતનાં મિથ્યાત્વનાં પગલો ક્ષાયોપથમિક ભાવને પ્રાપ્ત થતાં આત્મધર્મરૂપ શ્રદ્ધાન કંઈક અસ્કુટપણે પણ પ્રાપ્ત થાય છે અને તે પુદ્ગલોને ક્ષય થતાં આત્મ-સ્વરૂપ સર્વ પ્રકારે પ્રકટ થાય છે (આનું જ નામ ક્ષાયિક સમ્યત્વ છે). કેટલીક વાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે સમ્યકત્વ મોહનીયનાં પુલોને ક્ષય થતાં કેમ સમ્પર્વ ઉત્પન્ન થાય તેનું પણ એથી સમાધાન થઈ જાય છે એ વાત હવે નિવેદન કરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું ઉમરેવું આવશ્યક સમજાય છે કે સમ્યકત્વના વિશેષ જિજ્ઞાસુએ સમ્યક્ત્વના નિસર્ગરૂચિ ઈત્યાદિ દશ પ્રકારો માટે તથા શમાદિક પાંચ લક્ષણે, શંકાદિક પાંચ દૂષણ અને કુશલતાદિક પાંચ ભૂષણ, તેના આઠ પ્રભાવકો તથા સમ્યકત્વના ‘રાજભિયોગાદિક છ આગાર, અરિહંતાદિક સંબંધી દશ વિને, ત્રણ પ્રકારની શુદ્ધિ, ચાર શ્રદ્ધાન, સમ્યકત્વની છ ભાવનાઓ તથા છ યતના તેમજ તેનાં છ સ્થાનકો તથા તેનાં ત્રણ લિંગો એ સમ્યકત્વના ૬૭ બોલો એ બધાના સ્વરૂપ માટે પ્રવચન-સાદાર પ્રમુખ ગ્રન્થો જેવા. ૧ નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આસારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અધિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ તથા ધર્મરૂચિ એ દશ પ્રકારો છે. ૨ શમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિકતા એ આ પાંચ લક્ષણ છે. ૩ શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ દૂષણ છે. ૪ જિનશાસનને વિષે કુશળતા, પ્રભાવના, તીર્થ-સેવા, સ્થિરતા તથા ભક્તિ એ પાંચ ભૂષણો છે. ૫ વર્તમાન શ્રતના પારંગત, અસરકારક રીતે ધર્મ-કથા કહેનાર, પ્રખર વાદી, અપૂર્વ નૈમિત્તિક તપસ્વી, વિદ્યા અને મંત્ર વડે પરાક્રમી, સિદ્ધિઓથી અલંકૃત અને પ્રભાવશાળી કવિ એ આઠ પ્રભાવકો છે. ૬ રાજાભિયોગ, ગણાભિયોગ, બેલાભિયોગ, સુરાભિયોગ, કાન્તારવૃત્તિ અને ગુરૂનિગ્રહ એ છ આગાર છે. ૭ અરિહંત (તીર્થંકર), સિદ્ધ, જિન-પ્રતિમા, સિદ્ધાન્ત, ચારિત્ર-ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ચતુવિંધ સંઘ અને સમ્યફ એ સંબંધી વિનય તે તેને દશ પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy