SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બહષભપંચાશિકા, [ આપનreચોથા ગુણસ્થાનથી લઈને ઉપશાન્તાહ નામના અગ્યારમા ગુણસ્થાન પર્યત એમ આઠ ગુણ સ્થાનકો સુધી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અવિરત સમ્યગદૃષ્ટિનામક ચોથા ગુણસ્થાનકથી લઈને તે છેક અયોગિ-કેવલિનામક ચદમા–અંતિમ ગુણસ્થાનક સુધી અર્થાત્ એકંદર અગ્યાર ગુણસ્થાનકો પર્યત હોય છે (અને ત્યાર પછી મુક્તાવસ્થામાં પણ વિદ્યમાન છે). ક્ષાયોપથમિક સમ્યકત્વ અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત અર્થાત્ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર ગુણસ્થાનમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળનાં કે પાછળનાં ગુણસ્થાનોમાં તેનો સંભવ નથીજ. સમ્યત્વની સ્થિતિ– સમ્યકત્વની સ્થિતિને અર્થ એ છે કે કયું સમ્યકત્વ કેટલા વખત સુધી રહેનારું છે. આ સ્થિતિને જઘન્ય (ઓછામાં ઓછી) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) એમ બે પ્રકારો પડે છે. હવે તેમાં સાસ્વાદન સમ્યત્વની જઘન્ય સ્થિતિ એક સમયની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તો 'આવલિની છે. પશમિક સભ્યત્વની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિઓ અંતર્મુહુર્તની જ છે. ક્ષાયિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ તેત્રીસ (૩૩) સાગરોપમથી કંઈક અધિક છે (આ સિવાયની અપેક્ષાએ અર્થાત્ મુક્તાવસ્થા આશ્રીને તો તેની સ્થિતિ અનંતકાલની છે, કેમકે આ સમ્યકત્વ અવિનાશી છે). ક્ષાયોપથમિક સભ્યત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્તની છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ (૬૬) સાગરોપમથી કંઈક અધિક છે. વેદક સમ્યકત્વની તો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ એકજ સમયની છે. દરેક વસ્તુનું અન્વેષણ નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન એમ છ રીતે થઈ શકે છે, તે વાત આ સમ્યકત્વને પણ લાગુ પડે છે, પરંતુ એ સર્વ વાત ગ્રંથ-ગૌરવના ભયથી તેમજ આ સમ્યકત્વનું પ્રકરણ ઘણુંજ મોટું થઈ જવાની ભીતિથી અત્ર વિસ્તાર પૂર્વક વિચારવામાં આવી નથી. વિશેષમાં સમ્યકત્વના દશ ભેદો પરત્વે જે સ્થાનાંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનું પણ અત્ર દિગ્દર્શન કરાવવામાં આવતું નથી. ફક્ત હવે એક જ પ્રશ્ન વિચારી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. ૧ એક આવલિમાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. જુઓ અનુગદ્વાર (સૂ૦ ૧૦૪). ૨ આ ઉત્કૃષ્ટ કાળ વૈમાનિક ગતિમાં ઉત્પન્ન થયેલા અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ સમજવાનો છે; કેમકે એ વિમાનમાં ગયેલા જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું છે અને એથી જે કંઈક અધિક કાળ કહ્યો છે તે મનુષ્યભવ આશ્રીને સમજવાનો છે. ૩ વૈમાનિક ગતિમાંના કપપન્ન દેવતાઓમાંના બારમા દેવલોકના નિવાસીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ (૨૨) સાગરોપમનું છે અને ત્યાં ત્રણ વાર ગમન થતાં છાસઠ (૬૬) સાગરોપમ વીતી જાય. અને જે આજ ગતિમાંના વિજયાદિ વિમાન આશ્રીને બે ભવ કરવા પડે તે ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ (૩૩) સાગરોપમનું હોવાથી છાસઠ (૬૬) સાગરોપમ થાય છે. આથી કંઈક અધિક જે કાળ કહેવામાં આવ્યો છે, તે મનુષ્યભવ આશ્રીને જાણવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy