SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૩૩ મિથ્યાત્વે જતાં આ સમ્યક્ત્વનો કંઇક સ્વાદ રહી જાય. આવા સમ્યક્ત્વને રસાસ્વાદનું નામ આપવામાં આવ્યું છે. સમ્યક્ત્વના પાંચ પ્રકાશ આ ચાર સમ્યક્ત્વમાં ‘વેઢક’ સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય છે. અનન્તાનુમન્લી ચાર કષાય, મિથ્યાત્વ-મોહનીય, મિશ્ર-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કર્યા માદ સાતમી પ્રકૃતિને ખપાવતાં ખપાવતાં અર્થાત્ તેનો ક્ષય કરતી વેળાએ, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદ્ગલનો ક્ષય કરવાનો બાકી રહે, તે સમયનું સમ્યક્ત્વ ‘વેદક' સમ્યક્ત્વ કહેવાય છે. અન્ય શબ્દમાં કહીએ તો આગળ બતાવી ગયેલા અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એવા ત્રણ પુંજોમાંના પ્રથમના બે પુત્રો ક્ષીણ કર્યા ખાદ, શુદ્ધ પુંજના છેલ્લા ત્રાસને વેદતી વેળાના સમ્યક્ત્વને વેદક' કહેવામાં આવે છે. આવું સમ્યક્ત્વ આખા સંસારમાં એકજ વાર મળે છે અને તે પછી તો તરતજ ક્ષાયિક રામ્ય પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીને કર્યું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઇ શકે?— આપણે જોઈ ગયા છીએ તેમ અનાદિ કાળનો મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ત્વ પામ્યા પછીથી મોક્ષે જાય, ત્યાં સુધીમાં વધારેમાં વધારે તેને અર્ધપુદ્ગલ-પરાવર્તનથી કંઇક ન્યૂન કાળ પર્યંત આ સંસારરૂપી કેદખાનામાં સહ્યા કરવું પડે. હવે આવો કોઇક જીવ ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત કરે તે વિચારવામાં આવે છે. ઉપશમ તેમજ સાસ્વાદન સમ્યક્ત્વ તો વધારેમાં વધારે પાંચ વાર અર્થાત્ એક તો પ્રથમ સમ્યક્ત્વ મળવાના સમયે અને ત્યાર બાદ તો ચાર વાર ઉપશમ-શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચ વારજ પામી શકાય; જ્યારે વેદક અને ક્ષાયિક સમ્યક્ત્વ તો એકજ વાર અને ક્ષાયોપમિક સમ્યક્ત્વ તો અસંખ્ય વાર પ્રાપ્ત થઈ શકે. કર્યું સમ્યક્ત્વ કયે ગુણસ્થાનકે હાય છે ? સાસ્વાદન સમ્યક્ત્વ સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકમાંજ હોય છે; પરંતુ ત્યાંથી આગળ કે પાછળના ગુણસ્થાનમાં નહિજ. ઔપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યગ્-ષ્ટિ નામના ૧ ઉપશમ-સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જતાં બહુજ ઓછો સમય લાગે છે અને શાસ્ત્રકારો આ સંબંધમાં ‘માળ' ઉપરથી પડનારનું દૃષ્ટાન્ત રજુ કરે છે. અર્થાત્ માળ ઉપરથી પડેલાને ભૂમિ ઉપર પહોંચતાં જેટલી વાર લાગે તેના કરતાં પણ અતિશય ઓછા કાળમાં સમ્યક્ત્વનું વમન કરતો જીવ સાસ્વાદની થઇ મિથ્યાત્વ ગુણસ્થાનકે જય, કેમકે સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ છ આવલનો છે. રસદ આહ્વાનેન વર્તતે કૃતિ સાવાનમ્' અર્થાત્ આસ્વાદન સહિત વર્તે તે સાસ્વાદન એટલે કે પ્રસ્તુતમાં ઔપમિક સમ્યક્ત્વનું વમન થવા છતાં પણ તે જીવને કંઇક આસ્વાદ રહી જાય. આવા આસ્વાદન સહિત વર્તવું તે ‘સાસ્વાદન' છે. પ્રાકૃત ભાષામાં આ સમ્યક્ત્વને ‘સાસાયણ' કહે છે અને તેનું સંસ્કૃત રૂપાન્તર ‘સાશાતન’ થાય છે. આનો અર્થ એ છે કે (આ=સમન્તાત્) સમસ્તપણે શાતન કરે-પાતન કરે–મુક્તિમાર્ગથી ભ્રષ્ટ કરે તે આશાતન કહેવાય છે. હું અનન્તાનુમન્ધી કષાયની સહાયથી સમ્યક્ત્વમાર્ગથી ભ્રષ્ટ કરે તે ‘આશાતન’ છે. આવી આશાતનાથી જે યુક્ત હોય તે સાશાતન' યાને ‘સાસાયણ' કહેવાય છે. ઋષભ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy