SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, [ sનાણજરા પણ આ જળની સ્થિતિમાં ખલેલ પહોંચતાં એ મેલના રજકણો પાછા સર્વત્ર પ્રસરી જવાના અને જે જળ નિર્મળ દેખાતું હતું તે પાછું અસ્વચ્છ માલૂમ પડશે. પરંતુ જે આ જળમાંથી તેની અસ્વચ્છતાનો સર્વથા નાશ કરવામાં આવે, તો પછી આ જળ આઘાત, પ્રત્યાઘાત કે એવી કોઈ પણ કિયાથી કદી પણ અસ્વચ્છ બને ખરું કે? તેવીજ રીતે પ્રસ્તુતમાં મેહનીયના સંબંધમાં આ વાત ઘટાવવામાં આવે છે. મોહનીય કર્મના રજકણો આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે તે પ્રદેશો સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલાં જળની નીચે બેસી ગયેલા રજકણે જળને કિંચિત્માત્ર ક્રિયાની અસર થતાં અલ્પ સમયમાં તમામ જળમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહનીય કર્મના રજકણો કારણ મળતાં સમસ્ત આત્મપ્રદેશોમાં પ્રસરી જાય છે, અર્થાત્ તે અમુક કાળ વીત્યા બાદ જરૂરજ પાછા ઉદયમાં આવે છે. પરંતુ જે મોહને સર્વથા ક્ષય કરવામાં આવ્યો હોય-આ મેહનીય કમોંના રજકણને આત્મપ્રદેશમાંથી હમેશને માટે હાંકી કાઢવામાં આવ્યા હોય, તો તેને કદી પણ પાછો ઉદય થાય ખરો કે? આ ઉપરથી એમ સમજી શકાય છે કે જેને ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યાર બાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂરજ ઉદયમાં આવે છે, જ્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હોવાને લીધે તેનો કદાપિ પણ ઉદય થવાને અલ્પાશે પણ સંભવ નથી. ઉદયાદિનું સ્વરૂપ– સાથે સાથે “ઉદય” અને “ક્ષપશમનું સ્વરૂપ પણ વિચારી લઈએ, તેમજ ઉપશમ અને ક્ષપશમની ભિન્નતા પણ જોઈ લઈએ. - જે કર્મ આપણે બાંધ્યું હોય તે કર્મનું ફળ ભોગવવું તે “ઉદય’ કહેવાય છે, અર્થાત તે કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજવું. “ક્ષયોપશમ શબ્દ ક્ષય અને ઉપશમ એ બેને બનેલો છે. આ હકીકત ક્ષયોપશમઅવસ્થા દરમ્યાન ઉદયમાં આવેલા કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય છે એ ઉપરથી ચરિતાર્થ થાય છે. ઉદયમાં આવેલા કર્મનો ઘાત કરવા પૂર્વક અનુદિત કર્મનો સર્વથા વિષ્કમ્ભ તે ઉપશમ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ક્ષયોપશમમાં પ્રદેશઉદય રહેલો છે, જ્યારે આ ઉદયનો પણ ઉપશમમાં અભાવ છે. આ કારણને લઈને પણ ઔપથમિક સભ્યત્વ ક્ષાયોપથમિક કરતાં ઊંચી કોટિનું ગણી શકાય છે. ઉદય” અને “ક્ષય તો આઠે કર્મોના થાય છે. પરંતુ “ક્ષયોપશમ તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય એ ચાર ઘાતિકર્મનો જ હોઈ શકે છે અને તેમાં પણ વળી ‘ઉપશમ તો મોહનીય કર્મો જ હોઈ શકે છે. હવે પાછા પ્રસ્તુત વિષય ઉપર આવી જઈએ અને તેમ કરીને મિથ્યાત્વ મોહનીયાદિના ઉપશમ, ક્ષયપશમ અને ક્ષયથી ઉત્પન્ન થયેલા પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યકત્વ એ ત્રણના સંબંધમાં કેટલીક વિશેષતાનું અવલોકન કરીએ, આ વર્તમાનકાલમાં (પંચમ આરામાં) ક્યા ક્યા સમ્યકત્વને સંભવ છે?— આ વર્તમાન પંચમ કાલમાં ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણે સમ્યકત્વને સંભવ છે. પરંતુ ઉત્પત્તિ તે પૂર્વનાં બેનીજ છે, કેમકે શાસ્ત્રમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તો ચરમ તીર્થંકર મહાવીરસ્વામીના સમકાલીન મનુષ્યોને માટે બતાવવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy