SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિત્તા ] ऋषभपश्चाशिका. ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક સમ્યક્ત્વ એ ક્ષાયોપથમિક અને ઔપથમિક સભ્યત્વે કરતાં વધારે ઊંચા દરજજાનું છે. તેનું કારણ એ છે કે ક્ષાયોપશમિક સમ્યકત્વમાં મિથ્યાત્વ મેહનીય કર્મનો પ્રદેશઉદય રહેલો છે તેમજ વળી આ સમ્યત્વ દર્શનમોહનીયનાં શુદ્ધ પુદ્ગલોના ઉદયરૂપ છે (આથી આ સમ્યકત્વ પૌગલિક સમ્યકત્વ પણ કહેવાય છે), જ્યારે ઔપશમિક સમ્યકત્વમાં કે જે અપગલિક-આત્મિક સમ્યકત્વ છે તેમાં તો મિથ્યાત્વ મોહનીય કર્મનો પ્રદેશ-ઉદય પણ હોતો નથી; ક્ષાયિક સમ્યત્વમાં તો મિથ્યાત્વ મોહનીયાદિ કર્મનો કોઈ પણ જાતને ઉદય નથી એટલું જ નહિ, પરંતુ તે કર્મ સત્તામાં પણ નથી; અર્થાત્ અનન્તાનુબંધી (સૌથી ખરાબમાં ખરાબ) ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તેમજ સમ્યકત્વ–મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ–મોહનીયરૂપ દર્શનમોહનીયના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણે પુંજોનો સર્વથા ક્ષય છે. આ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકૃતિનો સમૂલ ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. વિશેષમાં ક્ષાયિક સમ્યક્ત્વની મહત્તા સંબંધી એમ પણ કહી શકાય કે ક્ષાયોપથમિક તેમજ ઔપશમિક સમ્યકત્વો કંઈ આત્માની સાથે સ્થાયી રહેતાં નથી, અર્થાત્ તેની પ્રાપ્તિ થયા પછી તે જતાં પણ રહે છે અર્થાત્ આત્મા કુસંગતિ વિગેરે કારણેને લઈને મિથ્યાત્વી પણ બની જાય છે, જ્યારે આ ક્ષાયિક સમ્યકત્વ તો આત્માને જાણે પરમ મિત્ર ન હોય તેમ તેનાથી એક ક્ષણ માટે પણ કવચિત્ જૂદું રહેતું નથી, પરંતુ મુક્તાવસ્થામાં પણ તે તેની સાથેજ જાય છે. પશમિક કે ક્ષાપશમિક સમ્યકત્વ તો અહિંઆ પાછળ રહી જાય છે; અર્થાત્ મુક્તાવસ્થામાં તેને સારૂ સ્થાન નથી. ઔપશમિક સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વ કેવી રીતે ચડિયાતું છે, તેનો બોધ થવામાં ઉપશમ” અને “ક્ષય” એ બેમાં શું ભિન્નતા છે તે જાણવું જરૂરી હોવાથી હવે તે વિચારવામાં આવે છે. ઉપશમ અને ક્ષયમાં તફાવત ઉપશમ અને ક્ષયમાં શું ફરક છે એ સ્પષ્ટ સમજાય તેટલા માટે તેનો ઉદાહરણ પૂર્વક વિચાર કરવો ઈષ્ટ છે. ધારો કે આપણી પાસે એક મલિન જળનું પાત્ર છે. થોડા સમય પછી આ તમામ મેલ જળની તળિયે બેસી જશે અને ત્યાર પછી આ જળ નિર્મળ દેખાશે. પરંતુ આ નિર્મળતા ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી જળ આ સ્થિતિમાં રહે ત્યાં સુધીજ; કેમકે ૧ કેટલાક આચાર્યોનું આ સંબંધમાં એમ માનવું છે કે આ વાત તો ઉપશમ-શ્રેણિવાળા ઉપશમસમ્યક્ત્વને જ લાગુ પડે છે; નહિ કે અન્યત્ર પણ; અર્થાત અન્યત્ર તે પ્રદેશ ઉદય સંભવે છે. જુઓ પ્રવચન-સારદ્વારની વૃત્તિ (પત્રાંક ૨૮૨). ૨ અત્ર એ કહેવું નિરર્થક નહિ ગણાય કે પ્રાથમિક ઉપશમ-સમ્યકત્વમાં અનન્તાનુબન્ધી ચારે કષાયો અને મિથ્યાત્વ મેહનીય એ પાંચનેજ ઉપશમ છે, જ્યારે ઉપશમ-શ્રેણિના ઉપશમ–સમ્યકત્વમાં ઉપર્યુક્ત ચારે કષાયો તેમજ દર્શનમોહનીયના મિથ્યાત્વમોહનીય ઉપરાંત મિશ્ર મોહનીય તથા સમ્યકત્વમોહનીય એનો પણ અર્થાત એકંદર સાતને “ઉપશમ છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં વિશેષતા એ છે કે તેમાં આ સાતેને “ક્ષય છે. ઋષભ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy