SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અષભપંચાશિકા, [ શ્રીધરાણછે, તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે પ્રાણ પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણને અધિકારી બને છે અને ત્યાર બાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રન્થિને ભેદી નાખે છે અને એજ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વ મોહનીય દ્રવ્યના ત્રણ પુજે બનાવે છે અને ત્યાર પછી અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અન્તરકરણની મદદથી) આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજોમાંથી શુદ્ધ પુજનોજ અનુભવ કરે છે અર્થાત્ તે ક્ષાયોપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે અને આથી કરીને ઔપથમિક સભ્યત્વને અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સભ્યત્વને સ્વામી બને છે. આ પ્રમાણે આ મત-ભિન્નતા પરત્વે વિચાર કરતાં એ પણ લક્ષ્યમાં રાખવું આવશ્યક છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવજ શ્રેણિ વિનાનું જ પથમિક સમ્યકત્વ પામે એ વાત નિર્વિવાદ છે, કેમકે એ હકીકત તો સિદ્ધાન્તકારો તેમજ કર્મગ્રન્થકારો બન્નેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઈ શકે છે કે જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઈએ. કર્મગ્રન્થકારો અને સિદ્ધાન્તવાદીઓની વિચાર-ભિન્નતાનું બીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાયોપથમિક સમ્યક્ત્વયુક્ત મરણ પામે તે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ એ ચાર ગતિઓમાંથી કઈ ગતિમાં જાય? આ સંબંધમાં કર્મગ્રન્થકારે તો એમજ કહે છે કે તે જીવ દેવગતિમાંજ જાય છે અને તેમાં પણ વળી વૈમાનિક દેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાન્તકારે આ વાતથી જુદો અભિપ્રાય ધરાવે છે. તેઓ તો કહે છે કે તે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાંજ તે જાય છે, અને સમ્યકત્વ પણ તેની સાથે જાય છે; નરક ગતિમાં સાત નરકોમાંથી છઠ્ઠી નરક સુધી સમ્યકત્વને સાથે લઈને જવાય છે. વિચાર-ભેદનું ત્રીજું સ્થળ એ છે કે ગ્રન્થિ ભેદ્યા બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત પછી જે જીવ મિથ્યાત્વ દશામાં જાય અર્થાત મિથ્યાષ્ટિ સ્થાને જઈ પડે તે જીવ ત્યારે મિથ્યાત્વ દશાને લગતાં જે કર્મ બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ? આ સંબંધમાં સૈદ્ધાતિક સન્તો નકારમાં પ્રત્યુત્તર આપે છે અર્થાત એવી સ્થિતિવાળાં કમ ન બંધાય એમ તેઓ કહે છે; જ્યારે કર્મગ્રન્થકાર મહર્ષિઓ એમ કહે છે કે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળાં) ક બાંધવાને સંભવ નથી. હવે આ ઔપશમિક અને ક્ષાયોપશમિક સમ્યકત્વ પરત્વે જે વધુ વિચારો કરવાના છે, તેમાં કોઈ કોઈ સ્થલે આ બે સમ્યક્ત ઉપરાંત ક્ષાયિક સમ્યકત્વને પણ તે વિચારો લાગુ પડે તેમ છે, તેથી પ્રથમ ક્ષાયિક સમ્યત્વનું સિંહાવલોકન કરવું આવશ્યક છે. ૧ જે જીવને દેવ, નારકી કે મનુષ્ય તરીકે ઉલ્લેખ ન થઈ શકે તેને તિર્યંચ” કહેવામાં આવે છે. જુઓ સરસ્વતી-ભક્તામર (પૃ૦ ૭૩). ૨ આ પહેલાં શબ્દ ઉપર ભાર મૂકવાથી કદાચ એવો પ્રશ્ન ઊઠે ખરો કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી આયુષ્યને બંધ થાય, તો શું સમજવું? પરંતુ આ પ્રશ્નનો પ્રત્યુત્તર દેખીતો છે કે જે ગતિનું આયુષ્ય જીવ બાંધે તે ગતિમાં તે જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy