SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. પથમિક સભ્યત્વની પ્રાપ્તિ પછીનો જીવનો પરિણામ આપશમિક સમ્યકત્વને અંતર્મુહૂર્તને કાલ વીત્યા બાદ ઉપર્યુકત આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ ત્રણ વિભાગોમાંથી જે દ્રવ્યનો ઉદય થાય, તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે. અર્થાત્ જે શુદ્ધ દ્રવ્યનો ઉદય થાય, તો આત્મા “ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, જે મિશ્ર દ્રવ્યનો ઉદય થાય, તો તે “મિશ્રદષ્ટિ બને છે; અને જે અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે, તો તો તે ફરીથી “મિથ્યાષ્ટિ થાય છે. - અત્ર ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત તો એ છે કે ઉપશમ-સમ્યકત્વની મદદથી આત્મા જે મિથ્યાત્વમોહનીયના ત્રણ વિભાગે બનાવે છે, તેમાંથી ગમે તે એક તો અંતર્મુહુર્ત કાલ વીત્યા બાદ ઉદયમાં આવે છેજ અને તેમ થતાં તે તથાવિધ (અર્થાત્ ચોથા, ત્રીજા કે પહેલા) ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. કર્મગ્રન્થકારે અને સિદ્ધાન્તકારો વચ્ચે સમ્યકત્વ પર મતભેદ– (૧) અનાદિ મિથ્યાષ્ટિ પ્રાણી પ્રથમ ઔપશમિક સભ્યત્વને જ પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિ કાલથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વારજ જે સમ્યકત્વ પ્રાપ્ત કરે, તે તો ઔપશમિક સમ્યકત્વજ હોઈ શકે તેમજ વળી આ ઔપશમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત કાલ પૂર્ણ થયા બાદ શાયોપથમિક સમ્યકત્વ દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ તથા મિથ્યાષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પિકી યથાસંભવ કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ; કેમકે પશમિક સમ્યકત્વના સમય દરમ્યાન તે ઉપર્યુક્ત ત્રણ વિભાગે જરૂર કરે છેજ, આ વાત તેમજ પશમિક સમ્યકત્વની પ્રાપ્તિને જે પ્રકાર આપણે ઉપર જોઈ ગયા તે હકીકતના સંબંધમાં મતભેદ છે; કેમકે આ હકીકત તો કર્મગ્રન્થકારેનેજ માન્ય છે, જ્યારે સિદ્ધાન્તકારે એ બાબતમાં તેમનાથી જૂરો અભિપ્રાય ધરાવે છે. સિદ્ધાન્તકારોનું માનવું એમ છે કે અનાદિ મિથ્યાષ્ટિ પ્રાણી પ્રથમતઃ ઉપશમ-સમ્યકત્વને જ પ્રાપ્ત કરે એવો કંઈ અચળ નિયમ નથી; અર્થાત્ કોઈક અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપથમિક સભ્યત્વને તો કોઈક લાયોપથમિક સમ્યકત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અત્રે ધ્યાનમાં રાખવાનું કે જે પ્રાણી સિદ્ધાન્તકારોના મત મુજબ પ્રથમતઃ ઔપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તેનો પ્રકાર કર્મગ્રન્થકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે અર્થાત્ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયમાં પથમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતો આવે છે, પરંતુ વિશેષતા એ છે કે આ ઔપશમિક સભ્યત્વને અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવ મિથ્યાવહનીયના શુદ્ધ, અર્ધ-શુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગો-પુજે કરતો નથી. આથી કરીને નિર્મળ ઔપશમિક ભાવને અંતર્મુહર્ત કાલ પર્યતા અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે અર્થાત તેને લાયોપથમિક સમ્યકત્વ કે મિશ્રદષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિદ્ધાન્તકારો ઈલ્લિકાનું દૃષ્ટાન્ત રજુ કરે છે. - જે જીવ તથાવિધ સામગ્રીના અભાવને લઈને પ્રથમતા પશમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપથમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તે સંબંધમાં સિદ્ધારતકારે જે વિધિ બતાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy