SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઋષભપંચાશિકા, [ શ્રીધનપાણ આત્માના અધ્યવસાય કરતાં અપૂર્વકરણ વિશેષ શુદ્ધ છે અને તેનાથી પણ અનિવૃત્તિકરણ અધિકાંશે શુદ્ધ છે. આ ‘શુદ્ધતા’ શું છે તેના સંબંધમાં અત્ર એટલુંજ કહેવું ખસ છે યથાપ્રવૃત્તિકરણથી જીવ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેના કષાયોનો અનુભાગ મન્દ થતો જાય છે અને તેમ થવાથી ઉત્તમોત્તમ કાર્ય કરવા તરફ તે વધારે ને વધારે પ્રોત્સાહિત અને છે. અનિવૃત્તિકરણ એ તૃતીય અર્થાત્ અંતિમ કરણ છે અને જેવું આ કરણનું નામ છે તેવુંજ તેનું કામ છે, અનિવૃત્તિકરણનો સાધારણ અર્થ તો એ છે કે કાર્ય કર્યા વિના નહિ પાછા વળનારૂં સાધન'; પ્રસ્તુતમાં તેનો અર્થ એવોજ થાય છે અને તે બીજો કોઈ નહિ પણુ એજ કે ‘સમ્યક્ત્વને પ્રાપ્ત કરાવ્યા વિના નહિ રહેનારો આત્માનો અધ્યવસાય. આ અનિવૃત્તિકરણના પ્રાબલ્યથી ‘અન્તરકરણ’ મને છે. આ ‘અન્તરકરણ' એટલે શું તે હવે વિચારવામાં આવે છે. અન્તર્ર–કરણ આત્મા અનિવૃત્તિકરણના સામર્થ્યને લઈને અર્થાત્ આ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દ્રવ્યો કે જે અહુ લાંબા કાળની ( પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા) હતાં તેના બે વિભાગ પાડે છે. આ પ્રમાણે અતિદીધ કાળની સ્થિતિ ધરાવનારાં મિથ્યાત્વ-મોહનીય કર્મના પુંજમાંનો કેટલોક ભાગ અન્તર્મુહૂર્ત સુધીમાં ભોગવાઈ જાય વેદાઈ જાય—ખપી જાય એવો અને છે, જ્યારે ખાકીનો મોટો ભાગ અતિદીર્ઘ સ્થિતિવાળો ( અર્થાત્ પૂર્વોક્ત પલ્યોમપના અસંખ્યેય ભાગે ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો) કાયમ રહે છે. આ પ્રમાણે મિથ્યાત્વ–મોહનીય–કર્મનાં દ્રવ્યોનું એ વિભાગોમાં વિભક્ત થવું-બે વિભાગોમાં વિભક્ત થયેલ કર્મ-દ્રવ્યોની સ્થિતિમાં અંતર પડવું તે ‘અન્તરકરણ’ કહેવાય છે. અન્તરકરણમાં પ્રવેશ— અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયમાં પ્રવર્તતો આત્મા આ ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેવ મિથ્યાત્વસોહનીય કર્મ-દ્રવ્યોને વેદી નાંખે છે-અનુભવી નાખે છે-તેનો ક્ષય કરે છે; જ્યારે બાકીનાં અતિદીર્ઘ સ્થિતિવાળાં મિથ્યાત્વ–મોહનીય કર્મ-દ્રવ્યના મોટા વિભાગને ભસ્મચ્છન્નાગ્નિવત્ (જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે છે તેમ) ઉદયમાં ન આવે અંતર્મુહૂર્ત સુધી તો ભોગવવા નજ પડે એવી રીતે દબાવી મૂકે છે. પેલાં અન્તર્મુહૂર્તવેદ્ય કર્મ-દ્રવ્યો જ્યારે તમામ વેદી લેવાય છે કે તેજ ક્ષણે—તેજ સમયમાં અન્તરકરણમાં પ્રવેશ થાય છે અર્થાત્ તે ક્ષણમાં મિથ્યાત્વ-મોહનીય કર્મનો જરા પણ 'વિપાક-ઉત્ક્રય કે “પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ જાતનો ઉય નહિ હોવાથી સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યક્ત્વનો પ્રાર્દુભાવ થાય છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી રહે છે. કેમકે અન્તરકરણનો કાળ અન્તર્મુહૂર્તનોજ છે. વિશેષમાં અંતરકરણમાં રહ્યો થકો જીવ દેશવિરતિ કે સર્વવિરતિને પણ પામી શકે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયને પ્રાપ્ત થતાં પ્રાણી પ્રતિ સમય વિશુદ્ધ પરિણામને પામતો થકો બહુ કર્મોને ખપાવે છે અને તેમાં ખાસ કરીને જે મિથ્યાત્વ ૧-૨ રસ સહિત પ્રદેશોનો ઉદય તે વિપાક ઉદય' અને માત્ર પ્રદેશોનો ઉદય તે પ્રદેશ ઉદય ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy