SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ऋषभपञ्चाशिका. ૨૧ મોહનીય કર્મો ઉદયમાં આવ્યાં હોય તેને વેદી નાખે છે, અને જે ઉદયમાં ન આવ્યાં હોય અર્થાત્ ઉદીરણાદિક 'કરણ દ્વારા પણ જેને (વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ ) ઉદયાભિમુખ બનાવી શકાય તેમ ન હોય તેને દબાવી રાખે છે અર્થાત પારિભાષિક શબ્દમાં કહીએ તો તેને ઉપશમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ પાડી અન્ડરકરણ કરે છે અને એવી જ સ્થિતિમાં અન્તર્મુહૂર્ત સુધી રહે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ઉપર્યુક્ત અન્તર્મુહર્તવેદ્ય મિથ્યાત્વ-દલિકનું જ્યાં સુધી જીવ વેદન કરતો હોય ત્યાં સુધી તે તે મિથ્યાષ્ટિજ કહેવાય, પરંતુ આ દલિકોને વેદી નાખ્યા બાદ અર્થાત અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછીનો અન્તર્મુહર્તનો કાળ વીત્યા બાદજ અંતરકરણના પ્રથમ સમયમાં તે (ઉપશમ– સમ્યકત્વ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ વનમાં દાવાનલ લાગ્યો હોય અને તે દાવાનલ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉખર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઈ જાય છે–શાંત બની જાય છે, તેમ પ્રસ્તુતમાં પણ મિથ્યાત્વવેદનરૂપ દાવાનલ પણ અન્ડરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઈ જાય છે અર્થાત્ “ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં આનન્દની વૃષ્ટિ આપણે જોઈ ગયા તેમ અન્ડરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વ–મોહનીયકર્મનો અલ્પશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિદીર્ધ સ્થિતિવાળાં તાદશ કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઈને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત રાગ–ષની ઉપશમ અવસ્થાને લઈને આત્માને પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મ ઋતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઈકે તેને શીત જળનું પાન કરાવે તેમજ તેના આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે ત્યારે તેને કેટલો આફ્લાદ થાય વાર તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ઉગ્ર ગ્રીમ ત્રિમાં જન્મ-મરણાદિક રૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતા એવા ભવ્ય જીવરૂપ વટેમાર્ગને અંતરકરણરૂપ શીતળ છાયા દષ્ટિગોચર થાય, ત્યારે તે તે તરફ હર્ષઘેલો થઈને દોડે એમાં શું નવાઈ? અને ત્યાં જતાંજ-અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાંજ ચંદનથી પણ અનેકગણા ૧ કરણ એ જીવના વીર્ય-વિશેષનું નામ છે. આવાં કરણે આઠ છે–(૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉદ્વર્તનાકરણ, (૪) અપવર્તનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમકરણ, (૭) નિધત્તિકરણ અને (૮) નિકાચનાકરણ. આ આઠના સ્વરૂપ સાથે અત્ર આપણને સંબંધ નહિ હોવાથી તે વિષે ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેના જિજ્ઞાસુએ શ્રીશિવશર્માચાર્યવૃત કમ્મપયડી નામનો ગ્રન્થ જોવો. ઉદય-કાલને નહિ પ્રાપ્ત થયેલા એવા કર્મ-પુગલોનો ઉદયાવલિકામાં પ્રવેશ થવો તે ઉદીરણા છે. અને આ પ્રમાણે કાર્ય કરવામાં સાધનભૂત એવો આત્માને પરિણામ તે ઉદીરણા-કરણ છે. અર્થાત જે વીર્ય-વિશેષ પરિણતિ વડે ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલાં કર્મ-દલિકને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય–તેને ઉદીરાય તે ઉદીરણા–કરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy