SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઋષભપંચાશિકા. [શીષનપરુંપણ તેઓ હજી તે અટવી ઓળંગી રહ્યા નથી, આથી તેઓ ભયભીત થાય છે અને તેમાં અધૂરામાં પૂરું ત્યાં બે ચોરોનું આગમન થાય છે. આ ત્રણ પુરૂષોમાંનો એક તો આ બે ચોરોને જોતાંજ પલાયન કરી જાય છે, જ્યારે બીજાને તો આ બે ચોરો પકડી લે છે અને ત્રીજો તો આ ચોરોને પરાસ્ત કરીને પોતાને માર્ગે આગળ વધે છે, અર્થાત્ આ ભયાનક અટવીને ઓળંગીને ઈષ્ટ નગરમાં જઈ પહોંચે છે. આને ઉપનય એ છે કે ભવભ્રમણ યાને સંસાર તે ભયાનક અટવી છે અને ત્રણ મનુષ્યો તે ત્રણ પ્રકારના જીવો છે. કર્મસ્થિતિ તે માર્ગ છે અને ગ્રન્થિ-દેશ તે ભયાનક સ્થાન છે, રાગ અને દ્વેષ તે બે ચોર છે અને ઈષ્ટ નગર તે સમ્યકત્વ છે. ત્રણ પુરૂષમાંથી જે દુર્ભવ્ય કે અભવ્ય હતો તે પોબારા ગણી ગયો અર્થાત્ ગ્રન્થિ-દેશ સુધી આવ્યા છતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને લઈને તે ત્યાંથી પાછો ફર્યો જેને ચોરોએ પકડી રાખ્યો, તેને તેવી રીતના રાગ-દ્વેષથી ગ્રસ્ત થયેલો જાણવો કે જે ગ્રન્થિને ભેદી પણ શકતો નથી કે ત્યાંથી અમુક કાલ પર્યત પાછો પણ ફરી શકતો નથી, અને જે ચોરોને મારી હઠાવીને અભીષ્ટ પુરમાં જઈ પહોંચ્યો તેથી એમ સમજવાનું કે તે અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને સભ્યત્વ પામ્યો. યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણે પર કીડીનું દષ્ટાંત પૃથ્વી ઉપર ફરતી ફરતી કોઈ કીડી કોઈ ખીલા સુધી આવીને પાછી ફરે, કોઈ કીડી ત્યાં સુધી આવીને તે ખીલા ઉપર ચઢી જાય તથા કોઈ કીડી એ ખીલા ઉપર થઈને આગળ ઉડી જાય, એ આ ઉપર્યુક્ત દૃષ્ટાંત છે. એનો ઉપનય એ છે કે કીડીનું પૃથ્વી ઉપર ફરતાં ફરતાં ખીલા સુધી આવવું એ સંસારમાં અનાદિ કાલથી રખડતાં રખડતાં જીવનું યથાપ્રવૃત્તિકરણ પામી રન્થિ-દેશ સુધી આવવા બરાબર છે; કોઈ કીડી ખીલા ઉપર ચઢી જાય એ અપૂર્વકરણની પ્રાપ્તિ અર્થાત ગ્રન્થિનું ભેદન છે; અને કોઈ કીડી એ ખીલા ઉપર ચઢીને આગળ ઉડી ગઈ, એ આ ગ્રન્થિને ભેદવા બાદ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ છે. અપૂર્વકરણના અધિકારી– એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છવો આ અપૂર્વકરણના અધિકારી નથી. વળી પંચેન્દ્રિય જીમાં પણ જેઓ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય હોવા ઉપરાંત જેઓને બહુમાં બહુ સંસારમાં કિંચિયુન એવા અધપુદ્ગલ પરાવર્તન જેટલા કાલ પર્યત જ રઝળવાનું બાકી રહેલું હોય અર્થત એટલા કાલ દરમ્યાનમાં તો જેઓ જરૂરજ મુક્તિ-નગરે પહોંચવાનાજ હોય, તેજ જીવો આ અપૂર્વકરણના અધિકારીઓ છે. વિશેષમાં આવા જીવોમાં ઈર્ષા, દ્વેષ, નિન્દા વિગેરે દોષો ઘણાજ મંદ પડી ગયેલા હોય છે. તેઓ આત્મકલ્યાણની પ્રબળ અભિલાષા રાખે છે, આથી તેઓ સંસારના પ્રપંચ (કપટ-જાળ)થી ઉદ્વિગ્ન રહે છે. તેઓ સત્પરૂષોના પક્ષપાતી છે તેમજ સુદેવ અને સુગુરૂનું બહુમાન જાળવવા તનતોડ મહેનત કરે છે. આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે અર્થાત્ તેઓ અપુનર્બન્ધક છે એટલે કે તેઓ જે અવસ્થામાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિ– બંધ થતો અટકી જાય એવી અપુનર્બન્ધક અવસ્થાએ પહોંચેલા છે. આ જીવો નીતિને માર્ગ ચાલે એ સ્વાભાવિક જ છે. આ પ્રમાણેની અવસ્થામાંથી પસાર થયા બાદજ તેઓ ગ્રન્થિનો ભેદ કરી સમ્યકત્વ સંપાદન કરે છે. ૧ આના સ્વરૂપ સારૂ જુઓ વીર-ભક્તામર (પૃ૦ ૮૪-૮૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy