SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિતા ] ગમપશિ. આ યથાપ્રવૃત્તિકરણ પરિણામથી આગળ વધવામાં રાગ-દ્વેષરૂપ ગ્રન્થિ વચ્ચે આવે છે અને તે દુર્ભેદ્ય છે, તેથી તેને અપૂર્વકરણરૂપ પરશુ દ્વારા ભેદ કર્યા વિના આત્મોન્નતિમાં આગળ વધી શકાય તેમ નથી, એટલે કે સમ્યકત્વ મળી શકે તેમ નથી. આથી આ ગ્રન્થિના સ્વરૂપ પરત્વે વિચાર કરીએ. ગ્રન્થિ-સ્વરૂપ પ્રન્થિ' શબ્દનો સામાન્ય અર્થ “ગાંઠ છે. અત્રે પ્રસ્તુતમાં આ પ્રન્થિથી આત્માનો અતિમલિન રાગ-દ્વેષરૂપ પરિણામ સમજવાનો છે. વિશેષાવશ્યક (ગા. ૧૧૫)માં પણ કહ્યું "गठित्ति सुदुब्मेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥” અર્થાત્ કઠોર, નિબિડ અને અતિશય મજબૂત કાષ્ટાદિકની ગાંઠની પેઠે દુર્ભેદ્ય એવો કર્મભનિત જીવન ગાઢ રાગ-દ્વેષરૂપ પરિણામ તે “ગ્રન્થિ છે. આ “પ્રન્થિ” ચાર અનન્તાનુબન્ધી કષાયોના સમુદાયરૂપ છે. પ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન આપણે ઉપર જોઈ ગયા તેમ આ ગ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન વિવિધ પ્રકારનું છે. જેમકે એમાંના કેટલાક જીવો રાગ-દ્વેષને વશ થઈને આ ગ્રન્થિથી પાછા હઠે છે એટલે કે તેઓ ફરીથી દીર્ઘ સ્થિતિવાળાં કમ બાંધે છે અને કેટલાક પ્રથમ કરણ યુક્ત થઈને ત્યાં જ રહે છે અર્થાત તેઓ અમુક કાલ પર્યત એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં કર્મ બાંધે છે અર્થાત્ એનાથી ન્યૂનાધિક સ્થિતિવાળાં કર્મો તેઓ બાંધતા નથી. અમુક કાલ પર્યત એમ કહેવાનું કારણ એ છે કે આ સ્થિ–દેશમાં આવેલો ભવ્ય કે અભવ્ય જીવ ત્યાંને ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી જ રહે, પરંતુ હમેશને માટે ત્યાં જ રહે નહિ. કેમકે આટલા કાલ દરમ્યાનમાં જે ભવ્ય જીવ હોય તે ક્યાં તો ગ્રન્થિ ભેદે અથવા તો અભત્રની માફક ત્યાંથી પાછો ફરે. આથી જોઈ શકાય છે કે યથાપ્રવૃત્તિકરણની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે, નહિ કે અનન્ત કાલની. ન્થિ-દેશમાં રહેલા કેટલાક જીવ તીણ ધારવાળા કુહાડા સરખા આત્માના અપૂર્વ પરિણામની મદદથી તે દુર્ભેદ્ય શ્રન્થિને પણ ભેદી નાખે છે. આ આત્માના અપૂર્વ પરિણામને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. આ કરણને “અપૂર્વ એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કે આ ત્માને આવો પરિણામ કદી પણ પૂર્વે થયો હતો નહિ. આવી રીતના જીવોનાં ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં વર્તનને સમજવાને સારૂ નીચેનું દાન ઉપયોગી થઈ પડે તેમ હોવાથી તે અત્ર આપવામાં આવે છે. ધારો કે કોઈ ત્રણ મનુષ્યો કોઈક નગર તરફ જવા નીકળ્યા છે અને માર્ગમાં અટવી આવતાં તેમાં થઈને આગળ પ્રયાણ કરવા માંડે છે. પરંતુ સૂર્યાસ્ત થવાનો સમય આવી પહોંચતાં ૧ પણ કહેવાનું કારણ એ છે કે આ ગાથા ક૫-ભાષ્યમાં પણ દ્રષ્ટિગોચર થાય છે. ૨ સંસ્કૃતિ છાયા સારૂ જુઓ પૃ૦ ૧૦. ઋષભ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy