SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વિનિત્તા | ऋषभपश्चाशिका. આ બે ઉદાહરણો ઉપરથી સમજી શકાય છે કે જીવ પણ દીર્ઘ સ્થિતિવાળાં કર્મોને ખપાવતો જતો-ખેરવતો જતો અને અલ્પ સ્થિતિવાળાં નવીન કર્મ બાંધતો જતો કાલાન્તરે અનાભોગરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે અલ્પ સ્થિતિવાળાં કર્મવાળો થાય–અર્થાત્ જરૂરજ તેનાં કમોંનું સ્થિતિ–બળ ઘટે. આ ઉપરથી જોઈ શકાય છે કે યથાપ્રવૃત્તિકરણ એ આત્માનો અનાગ–બુદ્ધિપૂર્વક વિનાનો પરિણામ છે. અર્થાત જીવ પહેલાં જેમ અતિશય દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધતો હતો તેને બદલે હવે અલ્પ સ્થિતિવાળાં કર્મ બાંધે, તેમાં આ પરિણામ કારણરૂપ છે. પરંતુ આવો પરિણામ તો અભવ્યોને અર્થાત જેઓમાં મુક્તિએ જવાની યોગ્યતા પણ નથી તેઓને પણ ઉત્પન્ન થાય છે. એથી એ દષ્ટિએ આ મહત્તવનો નથી, તોપણ આત્મોન્નતિના માર્ગ તરફ પ્રયાણ કરનારાઓને માટે એ પહેલું સ્ટેશન છે. જેને પોતાના આત્માનું હિત સાધવું હોય, મુક્તિ–પુરીમાં જવાની જેને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ હોય, તેને તો અહિંઆ સુધીની ટિકિટ કઢાવવી જ જોઈએ તેમજ આ સ્ટેશન સુધીની મુસાફરી પણ કરવી જ જોઈએ. અહિઆ આવ્યાથી જ કાર્ય સરી શકે ખરું, પરંતુ એનો અર્થ એમ નથી કે આ સ્ટેશને આવ્યા કે કાર્ય સરી જ ગયું યથેષ્ટ સિદ્ધિ થઈ ચૂકી. અર્થાત્ અહીં આવેથી જ આગળ વધી શકાય, પરંતુ આગળ વધીજ શકાય એમ નથી. વળી અહીં સુધી આવી પહોંચવું એ અશક્ય નથી, પરંતુ અહિંઆ આવ્યા વિના જ આગળ જવું એ તો જરૂર અશક્ય છે. આ દષ્ટિએ એમ કહી શકાય કે યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ નિરર્થક નથી; તેમાં પણ ગૌરવ રહેલું છે. વળી તેમાં જે જીવના સંબંધમાં સંસારનો છેડો હવે આવીજ રહેલો હોય અને એથી કરીને જેના સંબંધમાં આ યથાપ્રવૃત્તિકરણ અંતિમજ હોય, તે જીવનું યથાપ્રવૃત્તિકરણ તો ખરેખર પ્રશંસાપાત્ર છે. કેમકે આવા યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આત્મોન્નતિમાં આગળ વધી મુક્તિના સિક્કારૂપ સમ્યસુદર્શનને અવશ્ય લાભ મેળવે છે. આવું અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણ મેળવવાને બહુ ફાંફા મારવા પડે કે વધુ વખત રાહ જોવી પડે તેમ પણ નથી. એક અંતર્મુહર્તમાંજ એનો સમાગમ-ઉદય થાય છે. અર્થાત્ અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કર્યા બાદ અપૂર્વકરેણ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો નવ સમયને વિલંબ થાય છે અને વધારેમાં વધારે એક મુહુર્તમાં એક સમય ઓછો એટલો વિલંબ થાય છે, જ્યારે સામાન્ય યથાપ્રવૃત્તિકરણનો ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ તો અસંખ્યાત સમયનો છે. સામાન્ય યથાપ્રવૃત્તિકરણ જે યથાપ્રવૃત્તિકરણ બાદ અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણ ઉત્પન્ન થાય છે જ, તે સિવાયના અર્થાત્ સાધારણ યથાપ્રવૃત્તિકરણના અધિકારી તો અભવ્યો પણ છે, પરંતુ તેઓ આ પ્રથમ કરણને પ્રાપ્ત કરી આત્મોન્નતિમાં આગળ વધી શકતા નથી. ભવ્ય જીવો કે જેઓ મોડા વહેલા ૧ આવું યથાપ્રવૃત્તિકરણ તો જે પ્રાણી યોગની આઠ દૃષ્ટિઓ (મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) પૈકી પ્રથમ દૃષ્ટિમાં પ્રવર્તતો હોય, તેને હોય છે; વળી જોકે આ સ્થિતિમાં અપૂર્વકરણને ઉદય નથી, છતાં આ દૃષ્ટિવાળાને તેની પ્રાપ્તિ અતિદૂર નહિ હોવાથી આ યથાપ્રવૃત્તિકરણને ઉપચારથી “અપૂર્વકરણ કહેવામાં આવે છે. (દૃષ્ટિ એટલે સદ્ભાવનાગર્ભિત આત્માનો પરિમ-વિશેષ, સુશ્રદ્ધાયુક્ત બોધ.) ૨ જૈન શાસ્ત્રમાં કાળના સૂમમાં સૂક્ષ્મ વિભાગને “સમય” કહેવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy