SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઋષભપંચાશિકા, [ આપનારુંસિવાયનાં બાકીનાં કર્મોની સ્થિતિ ઘટીને એકી વખતે ઉપર્યુક્ત પ્રમાણ જેટલી રહે, ત્યારેજ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમ કાર પ્રાપ્ત થાય છે. આ દ્વાર સુધી આત્માને દોરી લાવનાર બીજું કોઈ નથી પણ તેનો પોતાને પરિણામ યથાપ્રવૃત્તિકરણજ છે. આટલેથીજ કાર્ય સરે તેમ નથી. આ ઉપરાંત અપૂર્વકરણ (અને અનિવૃત્તિકરણ)ની પ્રાપ્તિ થાય, તોજ સમ્યદર્શન સંપાદન કરી શકાય તેમ છે. યથાપ્રવૃત્તિકરણાદિકનું સ્વરૂપ આપણે જોઈ ગયા તેમ એકંદર કરણે ત્રણ છે–(૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તેમાં કરણ શબ્દનો અર્થ પરિણામ–અધ્યવસાય છે. “યથાપ્રવૃત્તિકરણ એટલે સાધારણ રીતે ઉપયોગ વગર ઉત્પન્ન થનારો પરિણામ; “અપૂર્વકરણ એટલે પૂર્વે નહિ અનુભવેલો એવો પરિણામ અને “અનિવૃત્તિકરણ” એટલે સમ્યકત્વ (સમ્યગદર્શન) ઉત્પન્ન કર્યા વિના નહિ ચાલ્યો જનારો પરિણામ. આ પ્રમાણેની ત્રણ કરણોની ધૂળ રૂપરેખા છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ દષ્ટિ–પાત કરીએ. તેમાં પ્રથમ તો આ ત્રણે કરણમાં પ્રથમ ભાગ ભજવનારા અર્થાત્ પ્રથમતઃ પ્રવર્તન કરનારા અને એથી કરીને “પૂર્વપ્રવૃત્ત” એવા નામથી પણ ઓળખાતા યથાપ્રવૃત્તિકરણ તરફ ઉડતી નજર ફેંકીએ. યથાપ્રવૃત્તિકરણ– યથાપ્રવૃત્તિ એટલે આત્માની અનાદિ કાળથી કર્મ અપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવીને તેવી પ્રવૃત્તિ. જો કે આત્માની અનાદિની ચાલ કાયમ છે, પરંતુ કારણ-પરિપાકને લઈને મિથ્યાત્વની મંદતા થાય છે—કમોનું સ્થિતિ–બળ ઘટે છે. અહીં કોઈને શંકા થાય કે આ વાત કેમ સંભવી શકે, તો તેના સમાધાનાર્થે નીચેનાં બે ઉદાહરણો વિચારવામાં આવે છે. ધારો કે આપણી પાસે એક ધાન્યનો ભંડાર છે. આમાંથી દરરોજ જેટલું ધાન્ય બહાર કાઢવામાં આવે, તેનાથી ઓછું—અલબત ન્યૂન પ્રમાણમાં જ તેમાં ધાન્ય નાખવામાં આવે, તો શું કાલાન્તરે–અમુક કાળ વીત્યા બાદ તે ભંડાર અ૫ ધાન્યવાળો નહિ થઈ જાય? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મ-પ્રદેશ એ કર્મરૂપ ધાન્યને ભરવાનો ભંડાર છે. અકામ નિર્જરા દ્વારા–અનાભોગે આમાંથી ઘણાં કર્મોની નિર્જરા થાય અને સાથે સાથે અલ્પ કર્મ બંધાતાં જાય, તો પછી કર્મરૂપ ધાન્ય ઘટે એ શું સ્વાભાવિક નથી? હવે બીજા ઉદાહરણ તરફ નજર કરીએ. ધારો કે એક પર્વત છે અને તેમાંથી જળની ધારા વહે છે. તો પછી આ પર્વતની નીચે રહેલો કોઈક પાષાણુ આ જળના પ્રવાહમાં તણાઈ આમ તેમ અથડાઈ ઘસાતો ઘસાતો પોતાની મેળે ગોળ અને સુંવાળો બની જાય, એમ કહેવામાં કોઈ પ્રમાણ આપવાની જરૂર રહે છે ખરી? પ્રસ્તુતમાં જીવ તે પાષાણુરૂપ છે અને ચતુર્ગતિરૂપ સંસાર તે જળને પ્રવાહ છે, તેમાં તણાતો જીવરૂપી પાષાણુ અકામ-નિર્જરારૂપ ઘર્ષણ વડે ધર્મ-પ્રવૃત્તિરૂપ યોગ્ય ઘાટમાં આવેચથાયોગ્ય સંયોગે મળતાં કષાય-મંદતાના યોગે અમુક કર્મ–દ્વવ્યjજનું આપોઆપ શટન-પટન થતાં જીવ કંઈક હલકો થાય, એ શું દેખીતી વાત નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy