SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કષભપંચાશિકા, [ શીષભાઇઅર્થાત્ દેવને વિષે દેવપણાની શુદ્ધ બુદ્ધિ, ગુરૂમાં ગુરૂપણની શુદ્ધ બુદ્ધિ અને ધર્મમાં ધર્મની નિર્મળ બુદ્ધિ એ “સમ્યકત્વ” કહેવાય છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે જેમને દેવ-ઇશ્વર-પરમેશ્વર તરીકે માનવા વ્યાજબી હોય તેમને દેવ તરીકે સ્વીકારવા, જેમને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેમને ગુરૂ તરીકે માનવા અને જે વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય તેને ધર્મ માનવો એ “સમ્યકુત્વ છે. આનાથી ઉલટી માન્યતા તે “મિથ્યાત્વ છે. જૈન પ્રક્રિયા– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનાં સાધનો સંબંધી વિચાર કરીએ તે પૂર્વે જૈન પ્રક્રિયા પ્રમાણે કર્મને જે આઠ વિભાગે પાડવામાં આવ્યા છે તે જોઈ લઈએ. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરgય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય એ આ આઠ વિભાગે છે. આ દરેક વિભાગના બીજા અવાન્તર ભેદો છે, પરંતુ તે સર્વનું અત્ર પ્રયોજન નહિ હોવાથી પ્રસ્તુતમાં મોહનીય કર્મના દર્શન–મોહનીય અને ચારિત્ર-મોહનીય એ બે મુખ્ય ભેદોના અવાંતર ભેદો વિચારવામાં આવે છે. દર્શન–મોહનીયના સમ્યક્ત્વ-હનીય, મિશ્ર–મેહનીય અને મિથ્યાત્વ–મોહનીય એમ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્ર-મેહનીયના કષાય” અને “નોકષાય એમ બે ભેદો છે. વળી તેમાં કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. આ દરેક કષાયના એક એકથી ઉતરતા બળવાળા અનન્તાનુબા , અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એમ ચાર ચાર ભેદો છે. નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એમ નવ ભેદો છે. આ પ્રમાણે દર્શન-મોહનીચના ત્રણ, કષાયના સોળ અને નોકષાયના નવ ભેદો મળીને મોહનીયના ૨૮ પ્રકારો પડે છે. દર્શન–મોહનીયને સામાન્ય અર્થ એ છે કે તત્વના સંબંધમાં યથાર્થ માન્યતા થવા દેવામાં વિધ્ર ઉત્પન્ન કરવું અર્થાત્ તેનું કાર્ય યથાર્થ દર્શનનું આચ્છાદન કરવાનું છે. દર્શનહનીય શબ્દ પણ સૂચવે છે કે દર્શન સાથે તેને કંઈ સંબંધ હોવો જોઈએ અને વસ્તુતઃ તેમજ છે અને તે એ છે કે દર્શન-મોહનીય કર્મને અસ્ત થતાં સમ્યગ્દર્શનને ઉદય થાય છે. સમ્યગ્દર્શન સંપાદન કરવામાં જોઇતાં સાધને– કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તો પણ આ ક્ષયોપશમ કંઈ તેનું મુખ્ય કારણ નથી; કેમકે જેટલા ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તેટલો ક્ષયોપશમ તો પંચેન્દ્રિય જીવોને હોય છે જ. આથી મુખ્ય વાત તો એ છે કે અનાદિ–અનંત એવા ચતુર્ગતિભ્રમણરૂપ ઘોર અટવીમાં પ્રાણી જે મેહનીયાદિક આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાકને વશ થઈ પરિભ્રમણ કર્યા કરે છે તે કમનો સ્થિતિ-કાલ ઘટવો જોઈએ અને એમ થાય ત્યારેજ સમ્યગ-દર્શનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. આથી પ્રથમ તો સ્થિતિકાલ અને ક્યા કર્મને કેટલો સ્થિતિ-કાલ છે તે જાણવાની જરૂર રહે છે. એ જિજ્ઞાસાના સમાધાનમાં કહેવાનું કે કર્મ-પુદ્ગલ જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલું રહે, તેટલો વખત તે કર્મને તે “સ્થિતિ-કાલ” કહેવાય છે. કર્મ-દ્રવ્ય વધારેમાં વધારે જેટલો વખત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy