SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિતા ] ऋषभपञ्चाशिका. યથા (ધર)=અંધારૂં. | વિજ! (બિન !)=હે તીર્થંકર! થાય (તાર)=કારાગૃહ, કેદખાનું. લિવર (વિનર)=સૂર્ય. જીમ (ાત=ગયેલ. મોહારવરિયાળ=મેહરૂપી અન્ધકારથી વ્યાસ | વિનયહવે સૂર્યની જેમ. કેદખાનામાં રહેલાથી. તુi (જં)-તું. પધાર્થ પ્રભુના દર્શનનો મહિમા અનેક ભવોથી એકત્રિત થયેલ હેવાથી) દ્વારના યુગલ જેવી ગાઢ (રાગ-દ્વેષના પરિણામ રૂપ) ગાંઠને જ્યારે મહા મહેનતે નાશ થયે, ત્યારે તે તીર્થંકર ! (૨૮ પ્રકારના) મેહરૂપી અંધકારથી વ્યાપ્ત એવા કારાગૃહમાં રહેલા મને સૂર્યસમાન તારું દર્શન થયું–૩ સ્પષ્ટીકરણ બ્લેકનું તાત્પર્ય – જેમ કોઈક રાજા અમુક મનુષ્ય ઉપર કોપાયમાન થતાં તે તેનું સર્વસ્વ હરણ કરી લઈને તેને ઘોર અંધારી કોટડીમાં પૂરી દે અને સ્વમે પણ તેને સૂર્યને દર્શન ન થવા દે, તેમ કર્મરાજા પણ આત્મા ઉપર કોપિત થતાં તે તેના જ્ઞાનાદિક ઉત્તમ અલંકારોને હરી લઈ તેને મોહરૂપી અંધારા કેદખાનામાં પૂરી દે છે અને તેને પ્રભુરૂપ સૂર્યના દર્શનથી વંચિત રાખવા પ્રયત કરે છે. પરંતુ કારાગૃહનું દ્વાર–યુગલ દૈવયોગે ઊઘડી જતાં તેમાં પૂરાઈ રહેલા કેદીને સૂર્યનું દર્શન થાય, તેમ અપૂર્વકરણદિકના યોગથી અનાદિ કાળના રાગ-દ્વેષરૂપ પરિણામવાળી ગાંઠ છેદાઈ જતાં મોહરૂપ કેદખાનામાં સડતો ભવ્ય જનરૂપી કેદી સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વ જ્ઞાનાદિક સદ્દગુણોથી સુશોભિત પ્રભુના દર્શન કરવા ભાગ્યશાળી બને છે. સમ્યકત્વ-મીમાંસા સમવને અર્થ– સમ્યકત્વ કહો કે સમ્યગદર્શને કહો એ બંને એક જ વાત છે. યથાર્થ શ્રદ્ધાન યાને વાસ્તવિક તત્વ-દષ્ટિ એ એનો અર્થ છે. એ વાતની વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મુનીશ્વરકૃત તત્ત્વાર્થાધિગમસૂત્રનું “તરવાર્થાનં વ નમ્” એ (પ્રથમ અધ્યાયનું દ્વિતીય) સૂત્ર સાક્ષી પૂરે છે. વિશેષમાં સમ્યકત્વની વ્યાખ્યા કરતાં શ્રીહેમચન્દ્રસૂરિ કહે છે કે “या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः। धर्म च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥" –યોગશાસ્ત્ર પ્ર૦ ૨, શ્લો૦ ૨ ૧ સમ્યકત્વ પર એક સ્વતન્ત્ર નિબંધ તૈયાર કરી તેને પ્રસિદ્ધ કરવાનો મારો મનોરથ અત્યાર સુધી ફળીભૂત નહિ થયેલો હોવાથી તેમજ સ્તુતિ-ચતુર્વિશતિકાદિક ગ્રન્થમાં વિવેચન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં ગ્રન્થ-ગૌરવના ભયથી તેમ કરવું મુલતવી રાખવું પડેલું હોવાથી અને વારંવાર તેમ કરવું તે ઈષ્ટ ગાય તેમ હોવાથી તેમજ શ્રીપ્રભાનંદસૂરિકૃત ટીકાને આશય જૈન દર્શનથી અપરિચિત પાઠકવર્ગના ધ્યાનમાં નહિ ઉતરી શકે તેમ લાગવાથી અત્ર મેં આ વિષયની સ્થલ રૂપરેખા આલેખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy