SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિલા] ऋषभपश्चाशिका. અર્થાત જ્યાં 'ઉપમાન અને ઉપમેયની પ્રત્યય, અવ્યય, તુલ્ય અર્થ અને સમાસ વડે સમાનતા હોય, તે “ઉપમા કહેવાય છે. સાથે સાથે “રૂપક અલંકારનો પણ વિચાર કરી લઈએ. એનું લક્ષણ એ છે કે– "रूपकं यत्र साधा -दर्थयोरभिदा भवेत् । समस्तं वाऽसमस्तं वा, खण्डं वाऽखण्डमेव वा ॥१॥" -વાટાલંકાર, ૫૦૪, શ્લોક ૬૬. અર્થાત્ જ્યાં બે અર્થોની સદૃશતાને લીધે અભેદ હોય, ત્યાં “રૂપક અલંકાર છે. આ અલંકારના (૧) સમસ્ત, (૨) અસમસ્ત, (૩) ખણ્ડ અને (૪) અખણ્ડ એમ ચાર પ્રકારો છે. લકનું સ્વરૂપ લોક કહો કે જગત્ કહો એ એક જ છે. જૈન શાસ્ત્રમાં આ લોકના ઊર્ધ્વ–લોક, મધ્યમલોક અને અધો-લોક એમ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. આ સમસ્ત લોકો આકાર કેડ ઉપર હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા પુરૂષના જેવો છે. આ પુરૂષાકાર લોકની કેડની નીચે સાત પૃથ્વીઓ છે (અને તે ઘનોદધિ, ઘનવાત અને તનવાતથી વીંટળાયેલી છે). તેમની પ્રથમ પૃથ્વીનો ઉપરનો નવસો યોજન જેટલો ભાગ બાદ કરતાં આ પૃથ્વીનો બાકી રહેલો ભાગ તેમજ તેની નીચેની બાકીની છે પૃથ્વીઓ એટલા લોકના વિભાગને “અધો-લોક' કહેવામાં આવે છે. સાત રજજુમાંથી નવસો યોજન બાદ કરતાં જેટલી ઊંચાઈ રહે એટલી આ અધો-લોકની ઊંચાઈ છે, જ્યારે એની આકૃતિ ત્રાસનને મળતી આવે છે. અધો-લોકમાંની આ સાત પૃથ્વીઓમાં સાત નરકો આવેલી છે તેમજ તેની પ્રથમ પૃવીમાં તો ચાર પ્રકારના દેવો પૈકી ભવનપતિ દેવોનાં પણ નિવાસસ્થાનો છે. - પુરૂષાકાર લોકના નાભિ-ભાગમાં મધ્યમ-લક યાને તિર્યંગ-લોક આવેલો છે. ઉપર્યુક્ત સાત પૃથ્વીઓમાંની પ્રથમ પૃથ્વીનો જે ઉપર નવસો યોજન ઊંચાઇવાળો ભાગ અધો-લોકમાં ગણવામાં આવ્યો નથી તેનો મધ્યમ-લોકમાં સમાવેશ થાય છે (આ ભાગમાં વ્યન્તરો વસે છે). સૂર્ય, ચન્દ્ર વિગેરે જ્યોતિષ્ક દેવોનાં વિમાને મધ્યમ-લોકમાં આવેલાં છે, કેમકે આ લોક ૧૮૦૦ યોજન જેટલો ઊંચો છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે પૃથ્વી ઉપરના સર્વે દ્વીપો તેમજ સમુદ્રોને પણ મધ્યમ-લોમાં અંતર્ભાવ થાય છે. આ મધ્યમ-લોકન આકાર ઝાલર જેવો છે. | મધ્યમ-લોકની ઉપરનો ભાગ ઊર્વ–લોક કહેવાય છે. એની ઊંચાઈ અધોલોકના જેટલી છે અને તેનો આકાર મુરજના જેવો છે. ઊર્વ–લોકમાં વૈમાનિક દેવોનો નિવાસ છે. તેમાં પુરૂષાકાર લોકનું ઉદર અને ઉરસ્થાન તે બાર પ્રકારના કલ્પપપન્ન વૈમાનિક દેવોનું સ્થાન છે. કલ્પાતીત વૈમાનિકોમાંથી જે દેવોનાં વિમાનો લોકના ગ્રીવા (ડોક) સ્થાને છે, તે “ ક” કહેવાય ૧-૨ સરખાપણના જ્ઞાનનું સાધન તે “ઉપમાન” કહેવાય છે, જ્યારે જે વસ્તુ સરખાવવા લાયકમુકાબલો કરવા યોગ્ય હોય તે ઉપમેય કહેવાય છે. ૩ જૈન શાસ્ત્રમાં લોકની ઊંચાઈના ચૌદ વિભાગો કલ્પવામાં આવ્યા છે. આ દરેક વિભાગને “રજજુ. કહેવામાં આવે છે. એક રજજુમાં અસંખ્ય યોજનોનો અંતર્ભાવ થાય છે. ૪ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy