SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા. [ શ્રીયાપાજી લબ્ધિઓ વડે અલંકૃત એવા મુનિરૂપ ગ્રામના નાયક છે; અર્થાત્ તેઓ મુનીશ્વર છે. આ તેમની કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદની 'સમવસરણ-અવસ્થા સૂચવે છે, કેમકે તેઓ સમવસરણમાં જ્યારે બિરાજે છે, ત્યારે ગણધરો તેમને નમે છે અને કેવલીઓ પણ તેમને પ્રદક્ષિણા દે છે. ४ ચોથા સંબોધનથી તેમની મુક્ત-અવસ્થા સૂચિત થાય છે. કેમકે જૈન સિદ્ધાન્ત પ્રમાણે મનુષ્યલોકમાંથી જે જીવ અષ્ટ કર્મનો ક્ષય કરે છે તે સમશ્રેણિએ ઊર્ધ્વ ગમન કરે છે અને લોકના અગ્ર ભાગે બે તૃતીયાંશ અવગાહના ધારણ કરીને રહે છે. આથી આગળ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અભાવને લીધે તે જીવ વધી શકે તેમ નથી. નમસ્કાર કરવાનું કારણુ આ સંપૂર્ણ કાવ્ય પ્રભુના ગુણોની સ્તુતિરૂપ અને એથી કરીને નમસ્કારરૂપ છે, તો પછી અત્ર તેમને કેમ ખાસ નમસ્કાર કર્યો છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના ઉત્તરમાં નિવેદન કરવાનું કે શિષ્ટ-સમયનું સ્મરણ કરાવવાને, વિજ્ઞને શાન્ત કરવાને તેમજ ભક્તિની અધિકતા સૂચવવાને માટે અત્ર ખાસ નમસ્કાર કરવામાં આવ્યો છે. પદ્ય–વિચાર— આ પ્રથમ જિનેશ્વર શ્રીઋષભદેવની સ્તુતિરૂપ સમગ્ર કાવ્ય મહાકવિ ધનપાલે ‘આર્યા’ છંદમાં રચ્યું છે. કવિરાજ કાલિદાસે રચેલા શ્રુતાધમાં એનું નીચે મુજબનું લક્ષણ જોવામાં આવે છેઃ~~~ યસ્યાઃ વારે પ્રથમ, દ્વારા માત્રાતથા તૃતીયેકષિ । अष्टादश द्वितीये, चतुर्थ के पञ्चदश साऽऽर्या ॥ १ ॥ " અર્થાત્ જે છંદના પ્રથમ તેમજ તૃતીય "ચરણમાં ૧૨ માત્રાઓ હોય અને દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં અનુક્રમે ૧૮ અને ૧૫ માત્રાઓ હોય તે ‘આર્યા' કહેવાય છે. અલંકાર–વિચાર– સગુણુ કાવ્ય પણ યુવતિની જેમ અલંકાર વિના શૈાલે નહિ, તેથી કવિઓ અલંકારથી અલંકૃત કાવ્યો રચે છે. આ અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે ભેદો છે. તેમાં શબ્દાલંકારના (૧) વક્રોક્તિ, (૨) અનુપ્રાસ, (૩) યમક, (૪) ચિત્ર અને (૫) શ્લેષ એમ પાંચ પ્રકારો છે, જ્યારે અર્થાલંકારના તો ઉપમા, રૂપક વિગેરે અનેક ભેદો છે. પ્રસ્તુતમાં આપણે ‘ઉપમા' અલંકાર સાથે સંબંધ હોવાથી તેનું નીચે મુજમનું લક્ષણ વિચારી લઈએઃ— ૩૫માનેન સાદશ્ય-મુવમેયસ્ય યંત્ર સા । પ્રત્યયાયયતુત્યાર્થ સમલૈહવમાં મત્તા ॥ ? ” -વાગ્ભટાલંકાર, ચતુર્થ પરિચ્છેદ, શ્લો ૫૦. ૧ સમવસરણની માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિંશતિકા (પૃ૦ ર૯૧-૩૦૦ ). ૨ અષ્ટ કર્મના સ્કૂલ સ્વરૂપ સારૂ જીઓ સ્તુતિ-ચતુર્વિંશતિકા ( પૃ૦૬-૦ ). ૩૪ આની સ્થૂલ રૂપરેખા ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૨૨૦૨૨૧ )માં આલેખવામાં આવી છે. ૫-૬ આ સંબંધમાં જીઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૯–૧૦ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy