SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વિરતા ] श्रीवीरस्तुतिः કહ્યું છે તેમ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી હજાર વર્ષ પૂર્વેનો ઉચ્છેદ થયો. પૂરેપૂરી એક પણ પૂર્વનું જ્ઞાન આ ભરતક્ષેત્રમાં કોઈને રહ્યું નહિ. શ્રીહરિભદ્રસૂરિના સમયમાં પૂર્વરૂપ સૂર્ય અસ્ત થયેલો હતો, છતાં તેનો થોડો ઘણો પ્રકાશ રહી ગયો હતો.' શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણને હાથે વીર-નિર્વાણ પછી ૮૦ મે વર્ષે શ્રુતનું પુસ્તકારોહણ થયું-જિનપ્રવચન લિપિબદ્ધ થયું તે પણ આજે પૂરેપૂરું ઉપલબ્ધ નથી. તેઓ જેટલું જાણતા હતા એટલું બધું લખાવી શકાયું નથી અને જેટલું લખાયું તેમાંથી પણ આજે બહુ થોડું ઉપલબ્ધ છે. ૧૧ અંગે વગેરેનો પણ મોટો ભાગ સચવાઈ રહ્યો નથી. દિગંબરોની માન્યતા તો એવી છે કે સંપૂર્ણ દ્વાદશાંગીને ઉચ્છેદ ગયો. આ સંબંધમાં શ્વેતાંબરોની એવી દલીલ છે કે જ્યારે તેમના જયધવલ ઈત્યાદિ ગ્રન્થો યાદ રાખી શકાય તો શું દ્વાદશાંગીમાંથી કશું પણ યાદ ન જ રહ્યું? શું અવશિષ્ટ ભાગ સ્વીકારવાથી પોતાના પગમાં કુહાડો મારવો પડે તેમ ધારી તેઓ આવી માન્યતાને પોષી રહ્યા છે? પરિક– પરિકર્મ એટલે યોગ્યતાની પ્રાપ્તિ, તેના હેતુરૂપ શાસ્ત્ર પણ પરિકર્મ કહેવાય. જેમ ગણિતશાસ્ત્રમાં સંકલના વગેરે સોળ પરિકમ જાણવાથી ગણિતના શેષ સૂત્રો સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ પરિકર્મનો જાણકાર સૂત્ર, પૂર્વગત વગેરેમાં પ્રવેશ કરવાની યોગ્યતા મેળવે છે. આ પરિકર્મ (૧) સિદ્ધશ્રેણિકા, (૨) મનુષ્યશ્રેણિકા, (૩) પૃષ્ઠશ્રેણિકા, (૪) અવગાહનBણિકા, (૫) ઉપસંપશ્રેણિકા, (૬) વિપ્રહાણશ્રેણિકા અને (૭) ચુતાગ્રુતશ્રેણિકા એમ સાત પ્રકારનું છે. વળી પ્રથમના બે પરિકર્મના ચૌદ ચૌદ ભેદો છે, જ્યારે બાકીનાં પાંચેના અગ્યાર અગ્યાર અવાંતર ભેદો છે એટલે આ પ્રમાણે ઉત્તર ભેદો ૮૩ થાય છે. - આ પ્રમાણેની હકીકત સમવાયાંગ (સૂ) ૧૪૭)માં તેમજ નંદીસૂત્ર (સૂ૦ ૫૭)માં પણ છે. છતાં સમવાયની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિ તેમજ નંદીની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિમાં પ્રથમનાં છ પરિકને સ્વસિદ્ધાન્તપ્રકાશક બતાવ્યાં છે, જ્યારે શાલકે પ્રવર્તાવેલા * આજીવિક પાખંડિક સિદ્ધાન્તના મતે સાતમા સહિત આ છે એટલે સાત પરિકમાં છે. આથી જે મૂળ સૂત્રમાં સાત ગણાવ્યા છે તે શું આજીવિકા મત પ્રમાણે સમજવાના છે કે કેમ એમ પ્રશ્ન ઊઠે છે. આ પરિકોની નય-ચિતાના સંબંધમાં એ ઉલ્લેખ મળી આવે છે કે પ્રથમનાં છ સ્વસામાયિક પરિકમનું ચાર વડે ચિંતન કરાતું હતું. ૧ સરખાવો પંચાશકની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકાની નિગ્નલિખિત પંક્તિ __" कतिपयप्रवचनार्थतारतारकविशेषाशुपदिदर्शयिषुः ।" ૨ આનાં માતૃકાપદ વગેરે નામો માટે જુઓ નંદીસૂત્ર (સૂ. ૫૭). ૩ આ બધા પરિકમને સર્વાશે-મૂળથી અને અર્શથી પણ ઉચ્છદ ગયેલો છે. ૪ નૈગમ નયના સાગ્રહિક અને અસહિક યાને સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એમ બે ભેદો છે. તે એનો અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ થાય છે. શબ્દાદિ ત્રણ નયને એક ગણતાં સાતના ચાર નો બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy