SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનપાણ માટે ોલાવતો હોય તેમ તોરણોની ઉપર રહેલો ધ્વજાનો સમૂહ રચી તેઓ સમવસરણને સુશોભિત કરે છે. તોરણોની નીચે પૃથ્વીની પીઠિકા ઉપર આલેખાયેલાં આઠ મંગળો મંગલતામાં ઉમેરો કરે છે. વૈમાનિક દેવો અંદરનો, જ્યોતિષ્ઠો મધ્યનો અને ભવનપતિ મહારનો ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળો અને રણનો બનાવેલો અંદરનો ગઢ જાણે સાક્ષાત્ રોહણગિરિ હોય તેમ શોભે છે. રતના કાંગરાવાળો અને સોનાનો મનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપોમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જેવો ઝળકી રહે છે. સૌથી મહારનો ગઢ સોનાના કાંગરાવાળો અને રૂપાનો અનેલો હોવાથી તીર્થંકરને વન્દન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢ્ય પર્વત આવ્યો હોય એમ ભાસે છે. પ્રથમ પૃથ્વી ઉપરથી એક એક હાથ ઊંચાં અને એટલા પહોળાં એવાં દશ હજાર પગથિયાં ચઢીએ ત્યારે આ મહારના રૂપેરી ગઢમાં દાખલ થવાય છે. સમવસરણમાં આવતા નરેશ્વરોનાં વાહનો આ ગઢમાં રહે છે. આ સંબંધમાં શ્રીયુત કુંવરજી શંકા ઊઠાવે છે કે “શું વાહનો દશ હજાર પગથિયાં ચડી આવી શકે? તેથી દેવોનાં અને વિદ્યાધરોનાં વાહનોનો સંભવ છે.” આથી તેઓ એમ સૂચવતા હોય એમ લાગે છે કે રથ વગેરે જેવા જડ વાહનોને દશ હજાર પગથિયાં સુધી ચઢાવાતાં નહિ હોય. બાકી દેવોનાં, વિદ્યાધરોનાં અને રાજાઓનાં પણ હાથી, ઘોડા, સુખપાલાદિ સચેતન વાહનો જમીન ઉપરથી ચઢી ગઢમાં દાખલ થાય છે એમ તો કુવલયમાલા (પૃ૦ ૧૨૦)ના નિગ્ન-લિખિત ૪૨ મા પદ્ય ઉપરથી જોઇ શકાય છેઃ— “તશ્રુતૃતીયવત્રાન્ત—ાંદનિ ક્ષમામૃતામ્ । સુવાળામપુરાળાં ચ, વિમાનાનિ યથાશ્રમમ્ ॥” વિશેષમાં તિર્યંચો પ્રભુની દેશના સાંભળવા આવે છે એટલે તેઓ તો દશ હજાર પગથિયાં ચઢીને ગઢમાં દાખલ થાય છે એ સ્વતઃસિદ્ધ હકીકત છે. અત્ર એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે વ્યંતરો દ્વારા જે ભૂમિ ઉપર ગન્ધોદકની તેમજ પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી છે તે જમીન ઉપર કરાય છે, કિન્તુ પીઠબંધ ૧૦૦૦૦ હાથ યાને સવા ક્રોશ ઊંચે, નીચે પોલાણ રાખીને એક યોજન પ્રમાણુ ગોળ કે ચોરસ સમવસરણનું કરાય છે. દરેક ગઢને એકેક દિશામાં એક એક દરવાજો છે તેમ આ બહારના ગઢને પણ છે. આના દરેક દરવાજે પહોંચવા માટે દશ દશ હજાર પગથિયાની એક એક નીસરણી છે. પ્રત્યેક પગથિયું એક હાથ પહોળું, દરવાજાના મુખ જેટલું લાંબું અને એક બીજાથી એક હાથ ઊંચું છે. આથી ચારે નીસરણી પૈકી પ્રત્યેકનું સૌથી નીચેનું પગથિયું વાયુકુમારે પ્રમાર્જિત કરેલી ભૂમિ ઉપર છે, જ્યારે માકીના ૯૯ પગથિયાં અદ્ધર છે. અને છેલ્લું પગથિયું પીડબંધ સાથે સંબદ્ધ છે. આ ૧૦૦૦૦ પગથિયાં બહારના (રૂપેરી) ગઢની બહાર હોવાથી યોજન પ્રમાણ સમવસરણમાં તેની ગણના કરાતી નથી. આ પગથિયાં ચઢી રહીએ એટલે આ પહેલા ગઢે અવાય છે. આ ગઢની અંદરની દીવાલથી પચાસ ધનુષ્ય જેટલી સીધી સપાટ જમીન (પ્રતર ) વટાવી જઈએ એટલે બીજા ગઢે પહોંચવાની નીસરણીના પગથિયાં આવે છે. આ ૫૦૦૦ પગથિયાની નીસરણી છે. દરેક ગઢની દીવાલ ૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. અને પાંચસો ધનુષ્ય જેટલી ઊંચી છે. આથી પ્રથમ ગઢના મહારના ભાગથી તે બીજા ગઢના બહારના ભાગ વચ્ચે ૩૩ૐ ૪.૫૦ ૪.+૫૦૦૦ હાથ=૧૩૩૩ ધનુષ્ય જેટલું અંતર છે. ખીજે ગઢ આવી પહોંચતાં એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy