SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વિચિતt] श्रीधीरस्तुतिः ૨૪૭ એ છે કે અંતરંગ વૃત્તિથી અન્યના હિતને વિષે દ્રવિત હોવું એ “દયા’ શબ્દના વાચાર્યનો સ્વીકાર તો સમગ્ર આર્ય દર્શનના અનુયાયીઓ કરે છે. પરંતુ એનો લક્ષ્યાર્થે સમજવાનો દાવો કરનારામાંથી કેટલાને દાવો સચોટ હોઈ સાચે છે? જે દર્શનમાં જીવના સૂમમાં સૂક્ષમ ભેદની પ્રરૂપણ કરવામાં આવી હોય, જયાં દયાના સિદ્ધાન્તને સ્યાદ્વાદની દષ્ટિએ વિચારવામાં આવ્યો હોય–જેમાં અહિંસાના અનેક ભંગ બતાવ્યા હોય તે દર્શન-પ્રરૂપિત દયા તે “સ્વચ્છ દયા છે, બાકી બીજી દયા તે “અસ્વચ્છ દયા છે. કયું કયું દ્રવ્ય સચિત્ત છે–સચેતન છે, કેવી રીતના વર્તનથી તેને સંક્લેશ થાય છે એ ભેદોનું નિરૂપણ તૈયાયિક દર્શનમાં નથી એમ કહેવાય છે, તો આવી પરિસ્થિતિમાં તૈયાયિકો સ્વચ્છસાચી દયા પાળી શકે ખરા? સાંખ્ય દર્શન પણ સૂફમ પર્યાલોચન પૂર્વક દયાનું રહસ્ય સમજાવે છે એમ કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ છે? જે નહિ કહી શકે તો તેના અનુયાયીઓ સાચી દયાના ભક્ત છે એમ કેમ કહેવાય? પૂર્વમીમાંસકો યજ્ઞાદિ કર્મ કરી પંચેન્દ્રિય તિર્યંચ–અરે મનુષ્યનો હોમ કરનારા તેને ભોગ લેનારા દયાની અભિરુચિવાળા હોવાનો દાવો કરે એ ક્યાંનો ન્યાય? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પણ સચેતન છે અને એ તત્વોને જીવાત્મા સુષુપ્તિ અવસ્થાવાળો છે એમ માનનારા વેદાન્ત-વેત્તાઓ આ તત્વોને પ્રાણ લે અને તેમ છતાં તેને પાપ ન ગણે એ શું કહેવાય? દેવીના ઉપાસકો પોતાની માંસ-લોલુપતાને તૃપ્ત કરવાના બહાના હેઠળ પશુઓનું બલિદાન કરવા છતાં પોતાને “સદય” તરીકે ઓળખાવે એ કેવી ધૃષ્ટતા? ભારતીય સુપ્રસિદ્ધ છ દર્શનના અનુયાયીઓ સિવાયના અન્ય મતવાળાઓ પણ–યુરોપીઅન, યાહુદીઓ, પારસીઓ, મુસ્લીમો સ્થાવર તથા જંગમ દ્રવ્યોમાં ઈશ્વરી સત્તાને સ્વીકાર કરે છે, પરંતુ જે તેઓ ભક્ષ્ય–અભક્ષ્યથી અનભિજ્ઞ રહી માંસાહાર કરે, શિકાર કરે, તો તેની દયા સ્વચ્છ કહેવાય? કેટલાક માનવો રોગ-ગ્રત જીવોને ગોળીબાર કરાવવામાં દયા માને છે, પરંતુ શું તેઓ એવું પ્રમાણપત્ર રજુ કરી શકે તેમ છે કે એથી એ જીવોને સુખ જ થાય છે? શું મરણઃ કષ્ટમાં ફસાયેલો જીવ પણ જીવવાને વલખાં મારે છે એ વાત ભૂલી જવા જેવી છે? આ ઉપરથી જોઈ શકાય છે કે અનેકાનેક સામ્પ્રદાયિકો દયાનો લક્ષ્યાર્થી પોતાની અભિરૂચિ અનુસાર કરે છે, પરંતુ જે દયા વિશ્વ-અધુત્વની ભાવનાની વિરોધી હોય, જે સ્વ અને પેરેને ઉપકારક ન હોય, જે સમસ્ત જીવોને આત્મસમ સમજવામાં વિશ્વરૂપ હોય એ સ્વચ્છ દયા નહિ કહેવાય; પરંતુ એ તો અસ્વચ્છ દયા છે-અનિર્મલ નિર્દયતા છે-હાનિકારક હિંસા છે–ઘોર અત્યાચાર છે–સર્વોત્કૃષ્ટ પાપ છે. ૧ જુઓ તવનિર્ણયપ્રાસાદ (પૃ. ૫-૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy