SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિતા ] श्रीवीरस्तुतिः ને નિર્દેશ છે. કહેવાની મતલબ એ છે કે કોઈનો વિનાશ કરવા માટે કોધાદિ સામગ્રીજોઈએ. અત્રે તો ઉલટું તેના અભાવથી વિનાશ થાય છે એ શું નવાઈ જેવું નથી? આનું સમાધાન બહુ સુન્દર રીતે કલ્યાણ મંદિરના ૧૩મા પદ્યના પરામર્શથી થઈ જાય છે. ત્યાં કહ્યું "क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो ___ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः। प्लोषत्यमुत्र यदि वा शिशिराऽपि लोके નકુમાનિ વિપિનાનિ ન થિં દિમાન ? || અર્થાત્ હે નાથ! જે તે પ્રથમ ક્રોધનો ક્ષય કર્યો, તો પછી (અવશેષ રહેલા) કર્મરૂપ ચોરોને ખરેખર તે કેવી રીતે વિનાશ કર્યો? (આ વિરોધનું સમાધાન કવિરાજ ઉત્તરાર્ધ વડે કરતાં કહે છે કે વિનાશ કરવાનું સામાન્ય હથિયાર કોઈ છે, બાકી અલૌકિક હથિયાર તો શાન્તિ, શમ, ક્ષમા છે, અર્થાત્ પોતાના આત્માને અત્યંત શાન્ત-દાન્ત બનાવવાથી કર્મરૂપ ચોરને નસાડી શકાય છે, કેમકે) આ લોકને વિષે શીતળ હિમ-સમૂહ પણ શું લીલાં વૃક્ષવાળાં વનને બાળતો નથી કે ? કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ પણ યોગશાસ્ત્ર (પ્ર. ૪, શ્લોક ૨૧) માં કથે છે કે ___"क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति सङ्ग्रहः ॥" એટલે કે કોધના ઉપર વિજ્ય મેળવવા માટે ક્રોધરૂપી શસ્ત્ર કામ લાગતું નથી, પરંતુ ક્ષાન્તિક્ષમા કામ લાગે છે, ઇત્યાદિ. ધમ્મપદના યમકવર્ગનો નિમ્નલિખિત પંચમ શ્લોક પણ મનનીય છે. ત્યાં કહ્યું છે કે – “હે વેરેન વેનિ, સમજોધ પુરાવા अवेरेन च सम्मंति, एस धम्मो सनंतनो ॥" નોકષાય કષાયના વ્યુત્પત્તિ વગેરેના સંબંધમાં થોડો ઘણો વિચાર ઋષભ પંચાશિકા (પૃ. ૯૦૯૧)માં કરવામાં આવ્યો છે. અત્રે નોકષાય સંબંધી ઉલ્લેખ કરવામાં આવે છે. કષાયની સાથે જ રહેનારા અથવા કષાયને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે કષાય તે “નોકષાય” કહેવાય છે. અથવા નશબ્દ દેશવાચક પણ છે એ વાત ધ્યાનમાં લઈએ તો કષાયના એક દેશરૂપ જે હોય તે પણ “નોકષાય” કહેવાય. શ્રીવાર્થાધિગમસૂત્ર (અ) ૮, સૂ૦ ૧૦)ની વૃત્તિ (પૃ. ૧૪૧)માં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે– "कषायैकदेशत्वात् कषायविशेषत्वाद् वा नोकषाया हास्यादयः" આ નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) શોક, () અરતિ, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એમ 'નવ ભેદો છે, એ વાત નષભપંચાશિકાના ૧૨મા પૃષ્ઠમાં વિચારી ગયા છિયે. ૧ સરખાવો શ્રીતત્વાર્થાધિગમસૂત્ર (અ) ૮, સૂ૦ ૧૦)નું સ્વોપા ભાગ (પૃ૦ ૧૪૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy