SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ગષભપંચાશિકા, [ શ્રીનવાવિગત અન્યત્ર ચચીશું. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, () જુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એટલું કહેવું આવશ્યક સમજાય છે કે નયનું સવિસ્તર જ્ઞાન થવાથી અઘટિત સ્વમત–પ્રશંસા અને પરમત નિન્દાને માટે સ્થાન રહેશે નહિ એટલે પરસ્પર વિરોધ કે વિગ્રહ ઉપસ્થિત કરવાને પ્રસંગ આવશે નહિ, પરંતુ જેમ બને તેમ શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે, મતાંતર સહિષ્ણુતા વધતી જશે અને એથી કરીને અન્ય દર્શનોનો પણ યથાયોગ્ય સત્કાર કરવામાં વિલંબ થશે નહિ, ખડાત્મક શૈલીને બદલે મચ્છનાત્મક–પ્રતિપાદન શૈલીનો વિશેષ પ્રચાર થશે, અન્ય જનોના દૃષ્ટિકોણ સમજાશે અને તેથી અપૂર્વ આનન્દ ઉદ્ભવશે, ઈર્ષ્યા અને શ્રેષનું નિકન્દન જશે, ઈત્યાદિ અનેક લાભનો સંભવ છે. નય-જ્ઞાનને થોડો ઘણે પણ જેમણે સ્વાદ લીધો હોય એવા જે મહર્ષિ થઈ ગયા છે તેમાં શ્રીહરિભદ્રસૂરિ ઉચ્ચ સ્થાન ભોગવે છે. દરેક દર્શનમાં કંઈને કંઈ સત્ય રહેલુંજ છે એ સૂચન કરનારા નથી તેઓ પરિચિત હતા એ તો તેમની શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનું કૃતિજ કહી આપે છે. આ પૂર્વકાળમાં થઈ ગયેલા મહર્ષિની વાત બાજુએ રાખીએ તપાસ એટલું તો સહર્ષ નિવેદન કરી શકાય તેમ છે કે મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિ, શ્રીવિન યવિજયગણિ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રીમાનવિજય ઉપાધ્યાય પ્રમુખ ધુરંધર વિદ્વાનોના સમકાલીન એટલે કે બસે અઢીસે વર્ષો ઉપર જૈન ગગનાંગણને દીપાવનારા શ્રી આનન્દઘનજી પણ સમભાવી થઈ ગયા છે. આના સમર્થનમાં તેમણે રચેલું શ્રીનમિનાથ પ્રભુનું સ્તવન પ્રમાણરૂપ છે. આ સ્તવન દ્વારા તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે જૈન દર્શન જિનશાસન રૂપ પુરૂષ મસ્તક છે; વેદાંત દર્શન તેનો જમણે હાથ છે, જ્યારે બૌદ્ધ દર્શન એ તેમનો ડાબો હાથ છે; ચગ દર્શન તેનો જમણો પગ છે, જ્યારે સાંખ્ય દર્શન તે તેમને ડાબો પગ છે, અને વળી ચાર્વાક દર્શન (કે જેને નાસ્તિક દર્શન તરીકે વિશેષતઃ ઓળખાવવામાં આવે છે તે તેની કુક્ષિ છે. આ વાત તેમણે કેવી રીતે ઘટાવી છે તે તો એ સ્તવનના દર્શન વિના કેમ સમજાય? અત એવ એનો ઉપયુક્ત ભાગ અક્ષરાર્થે સહિત અત્ર આપું છું. દરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નામ જિનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણ આરાધે રે– ૫૧ જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે–ષ-૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારી રે–ષ-૩ લોકાયતિક “મુખ જિનવરની, અંશ “વિચારી જે કીજે રે, તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે? –ષ-૪ ૧ શ્રીજૈનધર્મપ્રસારક સભા તરફથી સંવત્ ૧૯૬૪માં પ્રસિદ્ધ થયેલ ચૈત્યવંદન ચોવીસીના ૧ર૯ માં તથા ૧૩૦મા પૃષ્ઠમાં ૧૧ કડીનું સંપૂર્ણ સ્તવન નજરે પડે છે. તેના આધારે મેં અત્રે ઉલ્લેખ કર્યો છે, જ્યારે પાઠાન્તરો શ્રીરાયચંદ્ર કાવ્યમાળાના પ્રથમ ગુચ્છકમાંથી મેં આપ્યાં છે. ૨ષદર્શન. ૩ જિનના. ૪ ષડ્રદર્શન. ૫ ષડ. ૬ વખાણ. ૭ સુગત. ૮ ફૂખ. ૯ વિચાર. ૧૦ કરે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy