SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ રાજિતા ] જમપરિ. ૧૩૧ એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદન બે વાક્યો હોવા છતાં તે બંને મળી સ્યાદ્વાદકૃત છે. કારણ કે એ પ્રત્યેક વાક્ય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પોતપોતાની દૃષ્ટિએ પ્રતિપાદિત કરે છે–અર્થાતુ પોતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રકટ કરે છે. છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બંને વાક્યોમાંથી કોઈ એકાદ જ વાક્ય લઈએ તો તે નયશ્રત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાક્યને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે યોજેલું હોવા છતાં વિરોધી બીજા અંશ પર તે માત્ર તટસ્થ કે ઉદાસીન હોય. આથી ઉલટું એ બે વાક્યોમાંથી કોઈ એક વાક્ય દુર્નયકૃત હોઈ શકે પણ તે ત્યારે કે જે વક્તા એ વાક્ય વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રામાણિક અંશનો નિષેધ કરે. જેમકે જગત્ નિત્ય જ છે–અર્થત અનિત્ય નથી. પ્ર. જે વિચારો અનંત હોવાથી વિચારાત્મક ન પણ અનંત હોય તો એને સમજવા એ કઠણ નથી શું? ઉ. છે જ છતાં સમજી શકાય. પ્ર. કેવી રીતે? ઉ. ટૂંકમાં સમજાવવા એ બધા વિચારોને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વિચારો વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનાર હોય છે. કારણ કે વસ્તુનું વિચારમાં આવતું કોઈ પણ સ્વરૂપ લઈએ તો ક્યાં તો તે સામાન્ય હશે અને કયાં તો તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્ર. આ સિવાય બીજું પણ ટૂંકું વગીકરણ થઈ શકે? ઉ. હા, જેમકે અર્થનય અને શબ્દનય, વિચારો ગમે તે અને ગમે તેટલા હોય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે, અને કાં તો મુખ્યપણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતા હશે. અર્થસ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પર્શ તે બધા શબ્દનય. આ સિવાય કિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાર્થનય એવાં અનેક યોગ્ય વર્ગીકરણ થઈ શકે. પ્ર. આનો જરા વિસ્તાર કરવો હોય તો શક્ય છે? ઉ. હા. મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. માત્ર અહિં એ સાતના નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે ૧-૨ ક્રિયાને મુક્તિના સાધનરૂપે સ્વીકારનાર નય તે “ક્રિયા-નય છે, જ્યારે જ્ઞાનને તેવી રીતે માનનારો નય તે “જ્ઞાન-નય છે. હી. , ૩-૪ લોક-પ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરનારો નય વ્યવહાર-નય' કહેવાય છે, જ્યારે પારમાર્થિકતાત્ત્વિક અર્થને ગ્રહણ કરનારો નય તે “પરમાર્થ-નય” યાને નિશ્ચયનય” છે. હી, ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy