SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઋષભપંચાશિકા. [ શ્રીપનવાસ તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઇ શકવાથી સ્યાદ્વાદશ્રુત કેવી રીતે કહી શકાય? ઉ. અલબત દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે પણ જ્યારે વક્તા તે વાક્ય વડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતા તે અંશ સિવાયના બીજા અંશોને પણ એક જ સાથે પ્રતિપાદિત કરવા ઇચ્છે ત્યારે તે ઇતર અંશોને પ્રતિપાદનના સૂચક સ્થાત્ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરે છે અથવા તો સ્યાત્ શબ્દનો ઉચ્ચાર કર્યા સિવાય પણ વક્તા તે ખ્વના ભાવને મનમાં રાખ વાક્યને ઉચ્ચારે છે ત્યારે તે વાક્ય સાક્ષાત્ અંશમાત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્વાત શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ જંતર સમગ્ર અંશોના પ્રતિપાદનના ભાવથ ઉચ્ચારાયેલું હોવાને લીધે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. પ્ર. વક્તા સ્થાત્ શબ્દનો પ્રયોગ ન કરે તેમજ તેનો ભાવ પણ મનમાં ન રાખે તો તે જ વાક્ય કઈ કોટિમાં આવે? ઉ. નયશ્રુતની કોટિમાં. પ્ર. જ્યારે વક્તા પોતાને ઇષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતો હોય ત્યારે તે વાક્ય કયા શ્રુતની કોટિમાં આવે? ઉ. દુર્નય અથવા મિથ્યાશ્રુતની કોટિમાં. પ્ર. કારણ શું? ઉ. વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચો ઠરાવવા તે વક્તા આવે શમાં આવી જઈ બીજા સાચા અંશોનો અપલાપ કરે છે તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઇતર અંશોના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુર્નય શ્રુત કહેવાય છે. પ્ર. આવાં અનેક દુર્નય વાકયો મળે તો સ્યાદ્વાદશ્રુત અને ખરૂં? . ના, કારણ કે આવાં વાક્યો પરસ્પર એક ખીજાનો વિરોધ કરતા હોવાથી વ્યાઘાતઅથડામણી પામે છે. તે પોતપોતાની કક્ષામાં રહી વસ્તુના અંશમાત્રનું પ્રતિપાદન કર વાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઇ તેનું મિથ્યાપણું ખતાવવાની મોઘ ક્રિયા કરે છે; તેથી મિથ્યાશ્રુત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહમદ્ધ થઈ કોઇ એક કાર્ય સાધી નથી શકતા; ઉલટું તે એક બીજાના કાર્યના બાધક બને છે, તેમ અનેક દુર્નય વાક્યો એક સાથે મળી કોઇ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તો માજુએ રહી તે એક બીજાના આંશિક અર્થના સત્ય પ્રતિપાદ નને પણ સત્યપણે પ્રકટ થતાં અટકાવે છે. પ્ર. કોઇ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુર્નય, નય અને સ્યાદ્વાદ એ ત્રણે શ્રુત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તો શી રીતે ? ઉ. કોઇએ જગના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે—જગત્ નિત્ય છે, અનિય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આનો ઉત્તર આપનાર વક્તાને જો પ્રમાણથી એવો નિશ્ચય થયો હોય કે જગત્ નિત્ય-અનિત્ય-ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે કે જગત્ નિત્યરૂપેયે છે અને અનિત્યરૂપેયે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy