SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિપિતા | ऋषभपञ्चाशिका. ૧૭. "अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मतः ॥ २९ ॥ नयानामेकनिष्ठानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥" અર્થત—“અનેક ધર્માત્મક વસ્તુ એ સર્વ સંવેદન–પ્રમાણનો વિષય મનાય છે અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયનો વિષય મનાય છે (આ નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનારું પદ્ય છે).-૨૯ એક નિષ્ઠ–એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નયોની પ્રવૃત્તિ કૃતિમાર્ગમાં હોવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય (આ નય અને સ્યાદ્વાદના સંબંધનું સૂચન કરનારું પદ્ય છે).”—૩૦ આનન્દની વાત એ છે કે ન્યાયાવતારના અન્ય પદ્યની જેમ આ બે પઘોનું ગૂર્જર ગિરામાં અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજીએ તૈયાર કરેલું સ્પષ્ટીકરણ જૈન સાહિત્ય સંશોધકના ત્રીજા ખંડના પ્રથમ અંક (પૃ. ૧૪૨-૧૪૬)માં નજરે પડે છે. આ ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવો અભિપ્રાય પ્રદર્શિત કર્યો છે કે “જે સ્પષ્ટીકરણ શ્લોક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્યજ્ઞાત જેવું છે.” આવી પરિસ્થિતિમાં હું તે સ્પષ્ટીકરણ અક્ષરશઃ અત્ર આપું તો તે અસ્થાને નહિ લેખાય. “પ્ર. પ્રમાણને વિષય થનારી વસ્તુઓ કરતાં નયને વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હોય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જાદે જૂઠો બતાવી શકાય? ઉ. ના, એક બીજાથી જાદા એવા વસ્તુઓના કોઈ બે વિભાગ નથી કે જેમાંથી એક વિભાગ પ્રમાણનો વિષય બને અને બીજો વિભાગ નયનો વિષય બને. પ્ર. જે પ્રમાણ અને નયનો વિષય થનાર વસ્તુ એક જ હોય તે પછી બનો વિષયભેદ કેવી રીતે? ઉ. વસ્તુ ભલે એક જ હોય પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધમની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છુટો પડી પ્રધાનપણે ભાસે છે ત્યારે તે એક–એશ-વિશિષ્ટ–વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કોઈ એક ઘોડો આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે, પણ તે વખતે એ વિશેષતા ઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘોડો જ ચાક્ષુષ જ્ઞાન વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતી નથી કે ઘોડારૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy