SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ રાષભપંચાશિકા, [ષનાણા આખો ઘોડો જ અખંડિતપણે આંખનો વિષય બને છે. એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘોડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દ દ્વારા કરાવવું હોય ત્યારે તે ઘોડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં બુદ્ધિ દ્વારા છૂટી પાડી વક્તા કહે છે કે–આ ઘોડો લાલ છે, ઊંચો છે કે અમુક આકારનો છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનકિયામાં ઘડો ભાસમાન છતાં તે માત્ર ગણ હોય છે, અને તેની વિશેષતાઓ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે, તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનનો વિષય બનતો ઘોડો અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ નયનો વિષય થવાની રીત છે. આ વક્તવ્યને બીજા શબ્દોમાં–ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે–ભાનમાં અમુક વિશેષતાઓની પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણનો વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગ પૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયનો વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં તેનો વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર. પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તો બેમાં તફાવત શો? ઉ. ઈન્દ્રિયોની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનદિ , વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય અને એનો પુરોગામી ચેતના-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે નયજ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહ રૂપે છે. કારણ કે પ્રમાણવ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રકટે છે. પ્ર. પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરો. ઉ. પ્ર+માન=(જે જ્ઞાન વડે પ્ર–અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ. ની+અ–(ની–પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રેતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાનો માનસિક વ્યાપાર તે) નય. પ્ર. જૈન ન્યાય ગ્રન્થોની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થોમાં નય વિષે મીમાંસા છે કે નહિ? ઉ. નથી. જો કે જૈન અને જૈનેતર બના તર્કગ્રન્થોમાં મીમાંસા છે છતાં નયને પ્રમાણથી છૂટો પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તો માત્ર જૈનોએ જ કરી છે.” આ પ્રમાણેનું રમા પદ્યનું સ્પષ્ટીકરણ છે. નય અને સ્યાદ્વાદ વચ્ચેનો સંબંધ તથા બન્નેનું અંતર એવા શીર્ષક પૂર્વક ત્રિીસમું પદ્ય તેમજ તેનો ઉપર્યુક્ત અર્થ આપ્યા બાદ તેનું સ્પષ્ટીકરણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy