SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, “તત્ર સૂત્રપર્યન્તા-શ્રૃત્વાÒડર્થના મતાઃ । ત્રય: રાયા: શેષા:, રાજ્યર્થનોવઃ ॥ ૮॥” નયનો વિષય જાણવા લાયક છે, પરંતુ તે એટલો ગહન તેમજ વિસ્તૃત છે કે એના સંબંધમાં જેટલો ઊહાપોહ કરવામાં આવે તેટલો ઓછો છે. તેથી આખો એક નવીન ગ્રન્થ રચી શકાય એવા આ વિષયને લગતી બે ત્રણ હકીકતોનો ઉલ્લેખ કરી આને પૂર્ણ કરવામાં આવે તો અનુચિત નહિ લેખાય. ૧૨૬ [ શ્રીધનપાન ઉપર ગણાવી ગયેલા સાત નયો પૈકી નૈગમાદિક ત્રણ નયો મતિ, શ્રુત અવધિ, મન:પર્યય અને કેવલ એ પાંચે જ્ઞાનોને તેમજ મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ ત્રણ અજ્ઞાનોને માને છે. ઋજુસૂત્ર નય તો શ્રુત-જ્ઞાન અને શ્રુત-અજ્ઞાનને સાહાય્ય કરનાર હોવાથી મતિ–જ્ઞાન અને મતિ–અજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનોને અને એ અજ્ઞાનોને માને છે. શબ્દ નય મતિ અવધિ અને મન:પર્યય એ ત્રણ શ્રુતના સહાયક હોવાથી શ્રુત-જ્ઞાન અને કેવલ–જ્ઞાન એ એનેજ માને છે. આ નયની અપેક્ષાએ કોઇ અજ્ઞાની કે મિથ્યાષ્ટિ નથી (જુઓ તત્ત્વાર્થોધિગમસૂત્ર અ૦ ૧, સૂ૦ ૩૫ ના ભાષ્યનો અંતિમ ભાગ ). અત્ર એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે જૈન તત્ત્વજ્ઞાનના ભંડારની કુંચીરૂપ નયનો પ્રમાણ અને *સ્યાદ્વાદ સાથે શો સંબંધ છે એ જ્યાં સુધી બરાબર ધ્યાનમાં ન આવે ત્યાં સુધી નયનું મહત્ત્વ પૂરેપૂરું આંકી શકાય નહિ, આ સંબંધને વ્યક્ત કરનારાં એ પદ્યો તાર્કિકશિરોમણિ આચાર્ય શ્રીસિમેન દિવાકરે પોતાની કૃતિ ન્યાયાવતારમાં રચ્યાં છે. તે નીચે મુજમ છેઃ ૧ ગહન કહેવું વાસ્તવિક છે કે નહિ તે તો શુદ્ધાદિક એવા જે દ્રાર્થિક નયના ભેદાનું સ્વરૂપ દ્રવ્યાનુયાગતકામાં આપ્યું છે તે જોવાથી પ્રતીતિ થશે. ૨ વિપરીત અવધિ–જ્ઞાનને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. અવધિ–અજ્ઞાન એવો પ્રયોગ કરવામાં આવતો નથી. ૩ પ્રમાણનું કિચિત્ સ્વરૂપ મૈં ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત ન્યાયકુસુમાંજલિના તૃતીય સ્તઞકના સ્પષ્ટીકરણમાં વિચારેલું હોવાથી એના જિજ્ઞાસુને તે જોવા હું ભલામણ કરૂં છું. ૪ સ્યાદ્વાદના સંબંધમાં શ્રીશાલન મુનિરાજકૃત સ્તુતિ-ચતુર્વિંશતિકાના સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૧૨૧૧૫) માં થોડો ઘણો ઊહાપોહ કરવામાં આવ્યો છે, એટલે અહીં એ સંબંધમાં વિશેષ ઉલ્લેખ ન કરતાં એટલોજ ઇસારો કરવો અસ થશે કે સ્યાદ્વાદ એ પરમત-અસહિષ્ણુતારૂપ બીજને પલ્લવિત કરનારા નયાભાસરૂપ મેઘને વિખેરી નાંખનાર પવન છે. એની મદદથી સ્યાદ્વાદી સર્વ ઉપર સમાન ભાવ રાખી શકે છે. આથી તો તે પોતાને ખીજાની સ્થિતિમાં પોતાની કલ્પના શક્તિ વડે–નયાંતરથી મૂકી શકે છે અને તેથીજ તે ખીજા માનવની સ્થિતિ સમજી તેના તરફ ‘સ્યાત્' શબ્દ દ્વારા દયા-દિલસોજી-સહાનુભૂતિ દર્શાવી શકે છે. આ પ્રમાણે સ્યાદ્વાદ આત્માના સમભાવરૂપ પદ્મને વિકસિત કરી તેને મુક્તિ રમણીના મંદિરમાં દારી લઇ જાય છે. સંબધ સિત્તરીના આરંભમાં તેના કર્તા શ્રીરતશેખરસૂરિએ કહ્યું પણ છે કે "सेयंबरो य आसंबरो य बुद्धो व अहव अन्नो वा । समभावभाविभप्पा लहह मुक्खं न संदेहो ॥ १ ॥" અર્થાત્ શ્વેતાંબર હો કે દિગમ્બર હો, બુદ્ધ ો કે અન્ય કોઇ હો. જેનો આત્મા સમભાવને ભરે છે તે મોક્ષ પામે છે. એ નિઃસંદેહ હકીકત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy