SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઋષભપંચાશિકા, [ શ્રીધનપટ્ટજેમ આકર્ષણશીલ (negative) વિદ્યુત અને પ્રેરક (positive) વિદ્યુના સમાગમથી તણખો (spark) ઉત્પન્ન થાય છે તેમ જૂદા જૂદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય રીતે સંકલનાગુંથણી કરવાથી કોઈ અપૂર્વ શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. એ તો જાણીતી વાત છે કે મહાપુરૂષોએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું છે, તો પછી અમુક ઉદેશપૂર્વક વિશિષ્ટ વર્ગોની સંકલનથી યોજેલા પદોના સામર્થ્યની તો વાત જ શી ? વળી આવા પદોનામન્ન-પદોના રચયિતા જેટલે અંશે સંયમ અને સત્યના પાલક હોય તેટલે અંશે તેમાં વિશિછતા સંભવે છે. આથી કરીને મન્નની ભાષામાં પરિવર્તન કરવામાં આવે અર્થાત્ તગત અર્થ અન્ય ભાષા દ્વારા રજુ કરવામાં આવે તો તે પરિવર્તન મન્ટની ગરજ સારી શકે નહિ. આ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવાનું આ સ્થળ નહિ હોવાથી આ વિષય આટલેથી પડતો મૂકવામાં આવે તે પૂર્વે એટલું તો નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે જૈન શાસ્ત્રમાં પણ ૩૪–પ્રણવ બીજ, અને અન્ એ બેને વિશેષતઃ સત્કાર કરવામાં આવ્યો છે. ૩૪ એને મન્ત્રશાસ્ત્રમાં પ્રણવ તરીકે ઓળખાવવામાં આવે છે. સર્વ મમાં પ્રથમ પદ ભોગવનારો આ પ્રણવ સમસ્ત દાર્શનીક અને તાન્ત્રિક શાસ્ત્રોમાં સમાનભાવે વ્યાપક છે. સર્વ વર્ણોની ઉત્પત્તિરૂપ, શબ્દ-સૃષ્ટિના બીજરૂપ અને અનાદ્યન્ત ગુણયુક્ત સ્વરૂપવાળો એવો આ પ્રણવ સકામ ભક્તોને કામિત ફળ અર્પણ કરે છે, જ્યારે નિષ્કામ ઉપાસકોને તો મોક્ષ સમર્પ છે. પરમેષ્ઠીને વાચક. પરબ્રહ્મનો ઘાતક, અનાહત નાદનો પ્રતિઘોષ, અને જ્ઞાનરૂપ જ્યોતિના કેન્દ્ર-સ્થાનરૂપ આ પ્રણવ યોગિ-જનોનો આરાધ્ય વિભુ છે. કહ્યું પણ છે કે વિહંગુ, નિાં ગારિત નિઃ. कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥" આ સંબંધમાં વિશેષ ઊહાપોહ જેન સાહિત્ય સંશોધક (ખંડ ૩, અંક ૧ પૃ૦ ૧૦૧૨) માં કરવામાં આવ્યો છે, વાસ્તે એના જિજ્ઞાસુએ તે દિશામાં પ્રયાણ કરવું. સાથે સાથે આ ગ્રન્થમાં અમ્ ના સંબંધમાં પણ વિચાર કરવામાં આવ્યો છે. સર્વ ને મંત્રાધિરાજ તરીકે ઓળખાવવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ પ્રાયઃ પોતાની પ્રત્યેક કૃતિના પ્રારંભમાં આદ્ય મંગળ તરીકે આનું સ્મરણ કરે છે. પ્રણવની જેમ આ મન્ઝાધિરાજ પણ પરમેષ્ટીનો વાચક છે; કેમકે એમાં પરમેષ્ટીનું પરમ તત્ત્વ સમાયેલું છે. વળી આ પદમાંના અ, અને એ ત્રણ અક્ષરે વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવના પણ વાચક છે. એ વાતની નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે – “ગવાળોચતે વિષ્ણુ, જે ગ્રહ એરિથતિઃ | દુકાળ દૂર કો-સ્તત્તે પરમ પમ ” સકળ શાસ્ત્રોના સારરૂપ પ્રણવ અને મન્નાધિરાજની જેમ બીજા પણ મન્ચાક્ષર જૈન શાસ્ત્રમાં દષ્ટિ–ગોચર થાય છે. જેમકે શું એ માયા-બીજ, સ્યા એ પવન–બીજ, ફુ એ આકાશ–બીજ છે, પરંતુ આ સંબંધમાં અત્ર વિચાર કરવો ઈષ્ટ નહિ હોવાથી આ પ્રકરણ આટલેથી પૂર્ણ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy