SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ne. ગષભપંચાશિકા, [ આપન"प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, मुख्यमन्वर्थयोगतः ॥" અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે જેમ અવ્યક્ત મિથ્યાત્વી મટીને વ્યક્ત મિથ્યાત્વી થવું એ એક અપેક્ષાએ ઉન્નત દશા છે, તેમ બીજી અપેક્ષાએ એમ પણ ઉલ્લેખ કરી શકાય કે અવ્યક્ત મિથ્યાત્વ એ રૌદ્ર પરિણામવાળા વ્યક્ત મિથ્યાત્વ કરતાં સારું છે, કેમકે વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની ઉગ્ર દશામાં જેવો કિલષ્ટ કર્મને બંધ થાય છે, તેવો અવ્યક્ત મિથ્યાત્વથી થતો નથી. આથી કરીને જે વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખાવવી ઘટે છે તે વિશિષ્ટ પ્રકારની અર્થાત્ મિત્રા દૃષ્ટિની સ્થિતિવાળી હોવી જોઈએ. આ વાતનું ન્યાયાચાર્ય શ્રીયશવિજયગણિકત ૨૧ મી દ્વાáિશિકાનો નિગ્ન-લિખિત ૨૫ મો શ્લોક અને તેની ટીકા સમર્થન કરે છે. "व्यक्तमिथ्यात्वधीप्राप्ति-रप्यन्यत्रेयमुच्यते । घने मले विशेषस्तु, व्यक्ताव्यक्तधियोर्नु कः ? ॥" टीका-"अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्तिः मिथ्यात्वगुणस्थानकपदप्रवृत्तिनिमित्तत्वेन इयं मित्रादृष्टिरेवोच्यते, व्यक्तत्वेन तत्र अस्या एव ग्रहणत्वात् । घने-तीने मले तु सति, नु इति वितर्के, व्यक्ताव्यक्तधियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युत अतिदुष्टत्वात् न कथञ्चिद् गुणस्थानत्वनिबन्धनत्वम् ॥" આ પ્રમાણે ગુણસ્થાનકની વ્યાખ્યા વિચારતાં જરૂર એવી શંકા ઉદ્દભવે છે કે સિદ્ધાન્તોમાં –આગામોમાં પ્રથમ મિથ્યાષ્ટિ ગુણસ્થાન તો તમામ નીચી હદના જીવોમાં-સૂક્ષ્મ નિગોદ જેવા જંતુઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે તે શું અયોગ્ય છે? આનું સમાધાન એ છે કે આ હકીકત તો સામાન્ય અપેક્ષાએ છે. અને તે વળી એજ કે સૂફલ્મમાં સૂક્ષમ જંતુમાં પણ– સૂફમ નિગોદના જીવમાં પણ થોડીક પણ ચૈતન્ય-માત્રા છેજ. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એવા જીવોમાં પ્રથમ ગુણસ્થાન સિદ્ધાન્તકારોએ સ્વીકાર્યું છે. વિશિષ્ટ અપેક્ષા ઉદ્દેશીને તો જે ઉદ્દગારો અન્યાન્ય આચાયોએ કાઢ્યા છે તેની સ્થૂળ રૂપરેખા ઉપર મુજબ છે. अधुना सर्वाद्भुतनिधेर्भगवत एवाद्भुतचरित्रतामभिधित्सुराह भित्तूण तमं दीवो, देव ! पयत्थे जणस्स पयडेइ । तुह पुण विवरीयमिणं, जइक्कदीवस्स निवडिअं ॥ ३७॥ [भित्त्वा तमो दीपो देव! पदार्थान् जनस्य प्रकटयति। तव पुनर्विपरीतमिदं जगदेकदीपस्य निष्पन्नम् ॥] v૦ કૃમિજૂળ રિા દે રે! નાવિચાહુતિ! માવ! જે હિરીપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy