SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, પાર્થ જૈન દર્શનનું ગૌરવ— જેમ અન્ય ( બૌદ્ધાદિક )દર્શનકારા લીલાપૂર્વક ( જીવેાને ) મેક્ષે લઇ જાય છે, તેમ તું કરતા નથી, તાપણ ( યથાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ) તારા માર્ગમાં લાગેલા વિચક્ષણ જના મેાક્ષનાં સુખાને શોધે છે.”—૩૧ સ્પષ્ટીકરણ મેાક્ષ-પ્રાપ્તિનું સાધન એ તો આમાલગોપાલ પ્રસિદ્ધ વાત છે કે પરિશ્રમ કર્યા વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી.' તેમાં પણ વળી જેટલી ઇષ્ટ વસ્તુની વિશિષ્ટતા તેટલે અંશે પરિશ્રમની પણ વિશેષતા રહેલી છે. જેમકે મૅટ્રિક્યુલેશન (સ્કૂલ-લિવિંગ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં જેટલા પ્રયાસની આવશ્યકતા રહેલી છે તેથી વિશેષ પ્રયાસની જરૂરિયાત એથી ઉત્તરોત્તર પરીક્ષામાં ફત્તેહમંદ થવા માટે સંભવે છે. આથી એમ. એ. ની અંતિમ પરીક્ષા પસાર કરવામાં સૌથી વધારે પરિશ્રમની અપેક્ષા રહેતી હોય તો તે સ્વાભાવિક છે. [ શ્રીધનવાRs આ ઉપરથી સમજી શકાય છે કે જે સત્-ચિત્-આનન્દમય હોય, જ્યાં અજ્ઞાન કે દુ:ખને માટે જરા પણ અવકાશ ન હોય, તેમજ જે પ્રાપ્ત કર્યા પછી તેને ગુમાવી બેસવાનું કદાપિ મનનારજ નહિ હોય તેમજ જે પ્રાપ્ત થતાં અન્ય કોઇ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી ન હોય એવી મુક્તિ મેળવવી એ કંઇ જેવી તેવી વાત નથી. આવી મુક્તિ પરિશ્રમ વિના પ્રાપ્ત થાય ખરી? શું આહાર-વિહારમાં અનિયમિત રહેનાર તથા ભોગોપભોગમાં રચી પચી રહેનારી વ્યક્તિ મુક્તિ મેળવી શકે ? નહિજ. એ તો જે કાયાને કસી શકે, મનને મારી શકે, ત્યાગ—માર્ગને ગ્રહણ કરી શકે તેજ મુક્તિ રમણીને વરી શકે. આવી પરિસ્થિતિમાં ૧ આથી વિપરીત હકીકત કવચિત્ આ સંસારમાં નજરે પડે છે, જેમકે ભરત ચક્રવર્તીએ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને મરૂધ્રુવી માતાએ તો હાથી ઉપર બેઠા બેઠા લીલામાત્રમાં કેવલજ્ઞાન અને તત્ક્ષણ મોક્ષ પ્રાપ્ત કર્યાં હતાં. ઉપલેક દૃષ્ટિએ વિચારતાં એમ લાગે કે આવી અપૂર્વ વસ્તુઓ પણ વિના પ્રયાસે મળી શકે છે. પરંતુ વિશેષ વિચાર કરવામાં આવે તો માલૂમ પડશે કે આ તો પૂર્વ ભવમાં કરેલા વિશિષ્ટ પ્રયાસની પૂર્ણાહુતિરૂપજ છે અર્થાત્ કોઇ પણ ભવમાં મુક્તિને માટે મહેનત કર્યાં વિના તે કોઇને પણ મળી હોય કે મળનાર હોય એવો ઉલ્લેખ શાસ્ત્રમાં કોઇ પણ સ્થળે નજરે પડતો નથી. ૨ વિદ્યાની ક સામ્યતા માટે વિચારો— Jain Education International મૅટ્રિકે માંદા પડ્યા, ખી. એ.ના મેહાલ, એમ. એ. મરણ પથારીએ, એ વિદ્યાના હાલ. ૩ આ સંસારમાં અનેક પ્રકારના ધાર્મિક સંપ્રદાયો નજરે પડે છે. તે પૈકી એક સંપ્રદાયની એવી માન્યતા છે કે મનને જરા પણ મારવું નહિ, પરંતુ જે જે ઇચ્છા ઉદ્ભવે-પછી ભલે તે સારી હોય કે નારી–તે તે તૃપ્ત કરવી. આમ કરવાથી મન શાંત થાય છે અને તેથી મુક્તિ-માર્ગ મોકળો થાય છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી જણાય છે, કેમકે તૃષ્ણાનું ક્ષેત્ર મર્યાદિત નથી. એ તો જેમ અગ્નિમાં ઘી પડતું જાય તેમ તે વધારેને વધારે પ્રદીપ્ત થતો જાય, તેમ ઇચ્છારૂપ અગ્નિ પણ તેને તૃપ્ત કરવાના પ્રયત કરવાથી તો વધારેને વધારે પ્રજ્વલિત થતો જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy