SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અષભપંચાશિકા, [श्रीधनपालપધાર્થ જિન-સિદ્ધાન્તની આરાધના–વિરાધનાનું ફળ– “હે નાથ! કુવાના અરઘટ્ટની ઘટીના જેવા છે, જળ જેવા તારા પ્રવચનને જયારે ગ્રહણ કરે છે, ત્યારે તેઓ ઊંચે (સ્વર્ગમાં મેક્ષમાં) જાય છે અને જયારે તેને છોડી દે છે, ત્યારે તેઓ નીચે (તિર્યંચ કે નરક ગતિમાં) જાય છે.”—-૩૦ સ્પષ્ટીકરણ પૂર્વ પદ્ય સાથે સંબંધ – પૂર્વ પદ્યમાં કવિરાજે જિન-સિદ્ધાન્તનું પરિશીલન નહિ કરવાથી જે અનિષ્ટ પરિણામ આવે છે તેનું ચિત્ર આલેખ્યું છે, જ્યારે આ પદ્યમાં સિદ્ધાન્તના સેવનથી જે ઈષ્ટ પરિણામ આવે છે તેની રૂપરેખા દોરી છે. આ પ્રમાણે આ બે પદ્યો દ્વારા જિન-સિદ્ધાન્તને આદરઅનાદરથી થતા ગુણદોષોનું સમગ્ર ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. આ પદ્યમાં પણ જિનશાસનની વિરાધના કરવાથી જે દર્ભાગ્ય પ્રાપ્ત થાય છે તે તરફ ફરીથી કવિરાજે પાઠકવર્ગનું ધ્યાન ખેંચ્યું છે તે પૂર્વોક્ત હકીકતને વિશેષ સમર્થન કરવાના હેતુથી કર્યું હશે એમ ભાસે છે અથવા તો એકજ પદ્ય દ્વારા એક જ વસ્તુની બંને બાજુઓ દર્શાવવા માટે તેમ કર્યું હશે. પદ્યનો નિષ્કર્ષ– આ પદ્યમાં અને અરઘટ્ટની ઘટમાલા સાથે અને સર્વજ્ઞના સિદ્ધાન્તને જળની સાથે સરખાવ્યા છે. અર્થાત્ જેમ જળથી ભરેલી ઘટમાળ ઊંચે આવે છે તેમ જે જીવો સર્વજ્ઞપ્રરૂપિત પ્રવચનનું યથાર્થ રીતે આરાધના કરે છે, તે જીવો સ્વર્ગ કે મોક્ષે જાય છે, જ્યારે જેમ જળથી રિક્ત બનેલી ઘટમાલા નીચે જાય છે, તેમ શુદ્ધ સિદ્ધાન્તની વિરાધના કરનારા જીવો તિર્યંચ કે નારક તરીકે ઉત્પન્ન થાય છે. इदानीं भगवत्प्रवचनस्यैव विदुषां शिवोपादेयत्वमाह लीलाइ निंति मुक्खं, अन्ने जह तिथिआ तहा न तुमं । तहवि तुह मग्गलग्गा, मग्गंति बुहा सिवसुहाइं ॥३१॥ [लीलया नयन्ति मोक्षमन्ये यथा तीर्थकाः तथा न त्वम् । तथापि तव मागेलग्ना मृगयन्ते वुधाः शिवसुखानि ॥] प्र० वृ०-लीलाइत्ति । हे विश्वजनीन! भगवन् ! यथाऽन्ये तीर्थका लीलया मोक्ष नयन्ति-प्रापयन्ति तथा त्वं न नयसीति गाथापूर्वार्धसम्बन्धः । तत्र लीला-अनायासः, मोक्षो-महोदयः, अन्ये तु-इतरे शाक्य-साङ्ख्यादयः, तीथिका-दर्शनिनः । एतत् तु चित्रं यत् तहवि-तथापि एवं सत्यपि बुधास्तव मार्गलग्नाः शिवसुखानि मार्गयन्ति इति गाथोत्तरार्धसम्बन्धः । तत्र तव सम्बन्धी मार्गस्तव मार्गः ज्ञानदर्शनचारित्रलक्षणस्तस्मिन् लग्नाः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy