SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ગાથા-૮] ૨. વૃદ્ધિકાર – વૃદ્ધિના પ્રકારો પરંતુ, શ્રી-તીર્થકર નામ-કર્મ બાંધવાની કારણ-સામગ્રી એકઠી થવી, વગેરે ઊંચા પ્રકારનો લાભ જ મળે છે. કે આમ હોવાથી, “શ્રાવકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.” તેનો ઉપયોગ કરવાનું ત્યાગ કરવાનું કારણ સૂગ વગરના-સંકોચ વગરના-થઈ જવાનો સંભવ ઊભો થાય, તો તે ન થવા દેવાની સાવચેતી રાખવા માટે છે. (માટે જેમ બને તેમ તેનાથી દૂર જ રહેવું વધારે સારું છે એમ સમજવું.) તેથી કરીને | (શ્રાવક સિવાયના) બીજા (જૈનેતરો) કે, જેને સૂગ (દેવાદિ દ્રવ્યનો ઉપભોગ કરવામાં દોષ સમજીને સંકોચ-ધૃણા)- અનિચ્છા વગેરેનો સંભવ4 હોતો નથી. કેમ કે “એ દ્રવ્યનો ઉપભોગ કરવાથી શા શા પરિણામો આવે ?” તેનાથી તે અજાણ હોય છે. માટે દેવ-દ્રવ્યાદિકની) વૃદ્ધિ માટે, વધારે કિંમતનાં ઘરેણાં વગેરે લઈને. તેઓને દેવ-દ્રવ્યાદિકનું ધન (વધારવા) આપવામાં દોષ નથી. કદાચ ભવિષ્યમાં તે નિધન બની જાય વગેરે આપત્તિઓનો સંભવ હોવા છતાં પણ, તેથી મૂળ મૂડીનો નાશ થાય નહીં. (માટે ઘરેણાં લઈને આપવું.) પરંતુ જેને દેવ-દ્રવ્યાદિ વાપરવાની) સૂગ હોય, તે (જેનેતર)ને પણ વધારો કરવા માટે આપવાનો વ્યવહાર નથી. કેમ કે તેઓ જો તેનું ભક્ષણ કરે, તો તેમને પણ દોષ લાગે છે. ૪ (૧) ! વળી, કોઈ એવા સંજોગોમાં-ઉપર બતાવ્યા પ્રમાણેના સારા શ્રાવકો પણ જ્યારે પોતાના પ્રયત્નોથી તે (દ્રવ્ય) વધારી શકે નહિ, ત્યારે ચોખા, સોપારી, નૈવેદ્ય વગેરે દેવ (વગેરે) સંબંધી દ્રવ્યોના વેચાણમાંથી મળેલા ધનની માફક તે દવ-દ્રવ્યાદિકના) ધનનો જ ઉચિત જુદો વ્યાપાર કરીને, જે લાભ મળે, તે સાધર્મિકોને જણાવીને, દેવ-દ્રવ્યાદિકમાં જ નાંખવો, પરંતુ પોતાના ધન વગેરેમાં ન નાખવો (ન ભેળવવો). (૨) - (૧) 12. અહીં-પોતાના ચાલુ વેપારના સંબંધથી દેવદ્રવ્યનો વેપાર કરવો. એ એક પ્રકાર છે. બીજો વિધિ બીજા પ્રકારે બતાવ્યો છે, તે સૂગ રહિતપણું રોકવા માટે બતાવ્યો છે. 13 દોષના અંગીકારથી દેવદ્રવ્યના ઉપયોગનો ત્યાગ સ્વીકારેલ હોવાથી દેવદ્રવ્યના ભોગના વિપાકોથી અજાણ હોય તેને શ્રાવક દેવાદિનું ધન વૃદ્ધિ માટે આપે તો બીજાધાનનો ભંગ સંભવી શકતો નથી.” 14 લોકની અપેક્ષાએ અપયશનો ભય, લજ્જાયુક્તપણું, વૈયદિ ગુણવાળો હોવાથી એ પ્રમાણે ભાવ જાણવો * 15 અહીં ચોપડા વગેરેમાં લખાણ વગેરે પણ જુદું કરવું. + આ દોષની અપેક્ષાએ સૂચવગરનાને...એ પ્રમાણે ભાવ સમજવો. % ગુણવાળો હોવાથી સૂગવાળાને પણ.એ પ્રમાણે ભાવ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy