SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮] ૨. વૃદ્ધિાર – અધિકારી ૨૩ છે એઓને અહિં દેવ-દ્રવ્યાદિક વધારવાના અધિકારમાં) પ્રાયઃ વિશિષ્ટ પ્રકારના અધિકારીઓ તરીકે શ્રી પંચાશક વગેરે ધર્મશાસ્ત્રોને અનુસારે “જાણવા.” છે “પુષ્ટાલંબને” એટલે કે-ખાસ મહત્ત્વના કારણે મુનિમહારાજાઓ પણ આ વિષયમાં પણ (ખાસ) અધિકારી છે.” એમ આગળ ઉપર કહેવામાં આવશે. ૭ જે વિધિપૂર્વક અને અવિધિપૂર્વક વૃદ્ધિ કરનારાઓનું અનુક્રમે સ્વરૂપ બતાવવા દ્વારા, ઉત્તમ ફળ આપનારી વૃદ્ધિનું સ્વરૂપ સમજાવવાપૂર્વક સાથે સાથે પ્રસંગથી વિનાશનું પણ સ્વરૂપ (આ દ્વારમાં બતાવવામાં આવે છે નિબ-વર-નાળા-, વાજંતા વિ વિ નિખર્વ बुड्डन्ति भव-समुद्दे, मूढा मोहेण अत्राणी ॥८॥ (આ ગાથાનો અર્થ-વિધિની મુખ્યતાએ અને અવિધિની મુખ્યતાએ, એમ બે રીતે ટીકાની સૂચના અનુસાર નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે.) જે કોઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી રહિતપણે દેવ વગેરેના) દ્રવ્ય વધારે છે, તે અજ્ઞાની અને મૂઢ અવિવેકને લીધે સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે.”૮ (અવિધિ પક્ષનો અર્થ) દેવ (વગેરેના) દ્રવ્યમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાપૂર્વક જે કોઈ પણ વૃદ્ધિ કરે છે, તેઓ મોહરહિત, વિવેકી અને આજ્ઞાનિષ્ઠ હોવાથી સંસારરૂપી સમુદ્ર તરી જાય છે.” (વિધિ પક્ષનો અર્થ) ગિળ૦” ત્તિ જ આ ગાથાનું તંત્ર જાહેર કરીને બે પ્રકારે વ્યાખ્યાન કરવું. 5. [૧૯મી અને ૨૦મી એ બે ગાથાઓમાં ]. 1. “I વિધિપૂર્વક દેવાદિ દ્રવ્યોમાં વધારો કરે, તે વધારો કરનાર અધિકારી કહેવાય.” એમ સમજાવવાની સાથે સાથે, વિધિના વિરોધી હોય. તેવા અવિધિપૂર્વકના-દેવાદિ દ્રવ્યોમાં વધારો કરનારે કરેલા વિનાશરૂપ વધારાને પણ આ પ્રસંગે અર્થથી સમજાવે છે.” એ ભાવાર્થ સમજવો.]. 2. શાસ્ત્રમાં જે એક વાર (પદ્ધતિ-સિદ્ધાંત) વગેરે બતાવેલું હોય, તે ઘણે ઠેકાણે સહાયક થાય, તે તત્ર કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy