SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫-૬] ૨. વૃદ્ધિદ્વાર – અધિકારી ૨૦ તે આ પ્રમાણે – “કેવો ગૃહસ્થ યોગ્ય છે?" ૧. સુખ-સ્વજન ધરાવનાર કુટુંબીવર્ગ જેને સગાં, સંબંધી-જ્ઞાતિ,મિત્ર). અનુકૂળ (દરેક સારા કામમાં સંમત તથા સાથ આપનાર-પ્રોત્સાહક) હોય, ૨. શ્રીમંત ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હોય, ૩. યુક્ત=(પ્રતિષ્ઠિત) રાજા તરફના માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈ પણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર, ૪. કુળવંત–ઉત્તમ વંશમાં જન્મેલ હોય, જેથી કરીને, પ્રતિજ્ઞા-કબૂલાત-વગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે બરાબર પાલન કરનાર, ૫. અશુદ્ર=(હલકટપણું કે કૃપણપણું ન ધરાવતા) દાન-કુશળ (ઉદારદિલ), ૬. ખૂબ ધીરજવંત=ગમે તેવા વિકટ સંજોગોમાં પણ) મનનું સમતોલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર, એ ઉપરાંત ૭. ચાલુ બાબતના અનુભવી-જ્ઞાતા ચૈત્ય દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની વિધિ વગેરેના સારા જાણકાર, ૮. આજ્ઞા-પ્રધાન=શ્રી આગમશાસ્ત્રોની આજ્ઞાને અધીન, ૯. ધર્મના રાગી સારી રીતે ધર્મિષ્ઠ, ૧૦. ગુરુ-ભક્તિમાં તત્પર એટલે કે ગુરુસ્થાને રહેલા પૂજવા યોગ્ય પુરુષોની સેવા-ભક્તિ કરવામાં તત્પર, ૧૧. શુશ્રુષા વગેરે ગુણોયુક્ત વિવેક (શાસ્ત્રો સાંભળવાની ઈચ્છા વગેરે ધર્મ પ્રેમીના આઠ ગુણો શાસ્ત્રોમાં જણાવ્યા છે, તે ધરાવનાર-વિવેકી, ૧૨. મતિમાન =જાતસમજથી સારા બુદ્ધિશાળી સુંદર-પરિણામદશ સમજ ધરાવનાર). છે રહસ્ય એ છે, કે ઉત્તમ (આત્મ) પરિણામો રૂપ ફળોની પરંપરા વધારે તેવા દેવ-દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની પ્રવૃત્તિઓ વગેરે), ઉપર જણાવ્યા પ્રમાણેની શ્રદ્ધા ધરાવનારા-શ્રાવકો સારી રીતે કરી શકે તેમ હોય છે. 3 અહીં-કેટલાક ગુણો, કાર્ય-કારણનો સંબંધ બતાવવા વૃત્તિકારશ્રીએ પાછળના અનુક્રમથી પણ બતાવેલા છે. ગા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy