SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ S ગાથા-૩]. ભેદ વગેરે સાત ધારો $ દેવાદિક દ્રવ્યનો વિચાર જ સાત મુદ્દાઓ દ્વારા કરવાનો છે, તે સાત દ્વારા) હવે બતાવવામાં આવે છે भेया-बुद्दी-णासो गुण-दोसा पायच्छित्त-दिट्ठऽन्ता । एएहिं दुवारेहिं एअस्स परूवणा णेया ॥३॥ ભેદો,' વૃદ્ધિ નાશ ગુણો" દોષો, પ્રાયશ્ચિત્તો અને દૃષ્ટાંતો, એ સાત દ્વારોએ કરીને, એ (દેવાદિક દ્રવ્યોની પ્રરૂપણા-સમજૂતી-બરાબર મેળવવી.૩” “મેચ૦” ત્તિ જે તે (સાત ધારો)માં ૧. શિષ્યને શિક્ષા-બોધ-થવામાં સહાયક થાય તે રીતે દ્રવ્યોના મુખ્ય અને પેટા) પ્રકારો જેમાં બતાવાય, તે-ભેદ દ્વાર. ૨. સારી રીતની સાર-સંભાળ રાખવાપૂર્વક પોતાની તરફથી અને બીજા તરફથી આવતું) ધન વગેરે ઉમેરવા દ્વારા વિધિપૂર્વક તેમાં વધારો કરવો,તે વૃદ્ધિદાર. ૩. લોભ વગેરે આંતરિક શત્રુઓના-કષાયોના-ઉદયના બળથી જાગતી (તે દ્રવ્યોનાં ભક્ષણ-ઉપેક્ષા વગેરેની વૃત્તિથી હાનિ પહોંચાડવી (ઘટાડો કરવો-વૃદ્ધિમાં રુકાવટ પહોંચે તેમ કરવું, તે વિનાશ દ્વાર. ૪. તે બેથી-એટલે કે વૃદ્ધિ કરવી અને હાનિ રોકવી વગેરેથી પુણ્યાનુબંધી પુણ્ય (અશુભ-આશ્રવનિરોધ, સંવર, તથા નિર્જરા) વગેરેનો લાભ મળે, તે ગુણકાર. ૫. તે દ્રવ્યોના વિનાશથી ઉદ્ભવતાં પાપોનો પ્રભાવ અનુભવવાનો પ્રસંગ આવે, તે દોષદ્વાર. ૬. લાગેલા દોષોની શુદ્ધિ માટે ખાસ પ્રકારનાં જે અનુષ્ઠાન કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્તદ્વાર. 1 ઉપદેશને અનુસાર આચરણ કરવાનાં કાર્યો કરવાની ટેવ પાડવી તે શિક્ષા. 2 ભેદોપૂર્વકનાં મૂળભૂત દ્રવ્યોમાં. શાનાવરણીય કર્મ, અંતરાય કર્મ, પ્રમાદ. 4 પ્રેરાયેલી. 5 કરવા અને રોક્વા વગેરેથી વૃિદ્ધિ કરવી, અને નાશ રોકવો.] ઉલિત એટલે-વધારેલ. છા, પુષ્ટ. મે૦ તેની શુદ્ધિ કરનાર [દોષો દૂર કરી શુદ્ધિ કરનાર.] 7 Jair ducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy