SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨) દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા હોય, એટલે કે, તે વસ્તુ જેની નિશ્રારૂપ કરવામાં આવેલી હોય, 6 કરવામાં આવેલ અહીં શ્રી જીર્ણ શેઠનું દૃષ્ટાંત છે. નિશ્રાએ કરેલું પિોતાનો સંબંધ છોડાવીને બીજા સાથે સંબંધ જોડવો, તેને નિશ્રાએ કરેલું કહેવાય છે , ' (અવચૂરિમાં-પ્રાસંગિક-વિચારણા) ચત્ય એ (તીર્થંકર પ્રભુ માટે બનાવેલું હોવાથી) આધાર્મિક છે.” એમ કોઈ કહે, તો તેને આમ સમજાવવું, કે “ચૈત્યને શાસ્ત્રોમાં આધાર્મિક હોવાનું જણાવ્યું નથી.” “શા માટે આધાર્મિક નથી? તો કહેવું, કે - “આધાર્મિકનું લક્ષણ ઘટતું નથી, માટે.” “આધાર્મિકનું લક્ષણ શું છે?” “તે નીચે પ્રમાણે કહીએ છીએ, સાંભળો, - ૨ “જીવને ઉદ્દેશીને કરેલું હોય, અને તેમાં પણ તે સાધર્મિક હોય*, તો આધાર્મિક થાય. સાધર્મિક પણ “ત્રીજા ભાગાના હોવો જોઈએ. બાકીના ભાંગાના હોવા ન જોઈએ. બાકીનાં ભાંગામાં જૈન શ્રમણ લિંગ વગરના આવે છે. ૩ શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પ્રભુને સાધર્મિક તરીકે જણાવેલ નથી : (તેથી તેને માટે કરાયેલા ચૈત્યમાં જવું સુવિહિત મુનિને કલ્પ છે. એ ઉપરાંત ચેત્યનું નિર્માણ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને માટે હોય છે. એટલે તે પછી વાત જ શી રહે, ? કેમ કે તે તો અજીવ પદાર્થરૂપ હોય છે.૪ સંવમેઘ પુષ્પો; વગેરે શાસ્તા નિમિત્તે (તીર્થંકર પ્રભુને ઉદ્દેશીને) કરેલ હોય, તે મુનિઓને કહ્યું છે, તેનો નિષેધ (શાસ્ત્રોમાં) મળતો નથી. તો પછી, પ્રતિમાજી માટે બનાવેલું ચૈત્ય કેમ ન ખપે?પ તીર્થકર નામ ગોત્ર કર્મના ક્ષય માટે - શ્રી તીર્થંકર દેવો ધર્મ કહે છે : અને દવાદિકકૃત) પૂજા પણ સ્વીકારે છે. ૬ “તીર્થકર દેવ શા આધારે દેવોની પૂજા સ્વીકારે છે ? તેમને સંતોષ પામવા જેવું તો હોતું નથી.” “કહીએ છીએ" કમનો ક્ષય કરવા માટે તેઓ તે સ્વીકારે છે. ૭ છે કે શ્રી તીર્થકર ભગવંતના કષાયો નાશ પામ્યા હોય છે, તથા તેઓ કૃતકૃત્ય હોય છે, છતાં પણ, (પોતાના) જીત-વ્યવહારના આચારને અનુસરીને દરેક પ્રવૃત્તિ કરે છે. ૮ ચૈત્ય-મંગળ ચૈત્ય વગેરે ચાર પ્રકારે હોય છે : (ભાંગા આ પ્રમાણે છે.) ૧. પ્રવચન સાધર્મિક - વેષ સાધર્મિક ૨. પ્રવચન સાધર્મિક - વેષ સાધર્મિક નહીં.૨ ૩. વેષ સાધર્મિક - પ્રવચન સાધર્મિક નહી૪. પ્રવચન સાધર્મિક નહીં - વેષ સાધર્મિક નહીં.' (પ્રવચનનો અર્થ અહીં જૈન શાસન તરફની પાકી વફાદારી-શ્રદ્ધા-ધરાવવી, અને વેષ એટલે સુસાધુનો (જેન) વેષ, એવો અર્થ સમજવો.) (ઉપર ત્રીજો ભાંગો આધાર્મિક તરીકે જણાવ્યો છે, તે અહીં પહેલાં ભાંગા તરીકે બતાવેલ છે.) ૧. બે સુવિહિત સાધુ-સાધર્મિક છે. પરસ્પર સાધર્મિક) ૨. સુશ્રાવક અને સુવિહિત મુનિ (વેષથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક છે.) ૩. નિલવ અને સુવિહિત મુનિ (વેષથી સાધર્મિક છે, પ્રવચનથી સાધર્મિક નથી.) ૪. સુવિહિત મુનિ અને બીજો ધર્મ પાળનાર (બન્નેય રીતે સાધર્મિક નથી પ્રવચન-શાસન-ધર્મમયદા-જુદા જુદા છે. વેષ પણ જુદા જુદા છે.) 3. (અમુક) કર્મોની પરતંત્રતાને લીધે પૂજાદિક પ્રહણ કરે છે. 4. સાર્વત્રિક પૂજા સ્વીકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy