SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧] મંગળાચરણ વગેરે જૈતથા-ભવ્યજીવોને યથા-સ્થિત (પદાર્થોનો) -સાચો બોધ કરાવનારાને. આ વિશેષણે કરીને “એ બન્નેય સીધી રીતે કે આડકતરી રીતે પરોપકાર કરનારા છે.” એમ બતાવ્યું છે. ઉપરાંત, ( “તેઓ કેવા છે ?” ધૈર્યશીલ છે=મરણાંત કષ્ટ આવી પડે, તો પણ ઉત્સૂત્રની પ્રરૂપણા ક૨વાનો સ્વભાવ ધરાવતા નથી. આ વિશેષણે કરીને- “એ બન્નેય ઉત્તમ-ગુરુઓ છે.” એમ પણ સૂચિત કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે, કે “ઉત્સૂત્ર બોલનારાઓનો સમ્યગ્દર્શન ગુણ ચાલ્યો જાય છે, અને તે અનંત સંસારી રહે છે. માટે, ધીર પુરુષો પ્રાણનો ત્યાગ કરવો પડે, તો પણ ઉત્સૂત્ર બોલતા નથી.” ૧ ૩ તત્ત્વથી (નિશ્ચયનયથી)- તેઓ પોતે પોતાના આત્મા ઉપર પણ ઉપકાર કરનારા છે.” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. 3 4 5 ↑ અહીં, “શ્રી વીર જિન,” અને “તત્ત્વબોધ” એ બેય પદદ્વારા-યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવનાર તરીકે માનીને, ભગવાનના ચાર અતિશયો પણ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલા છે, તેમાં ૧ “શ્રી” શબ્દથી જ્ઞાન-અતિશય, ૨ “વીર” શબ્દથી પૂજા-અતિશય. ૩ “જિન” શબ્દથી અપાયાપગમ (કષ્ટો દૂર કરનાર) અતિશય. ૪ “તત્ત્વ-બોધક” શબ્દથી વચન-અતિશય, (ઘટે છે.) માર્ગાનુસારિ તથા-ભવ્યતા ધરાવતા જીવોના [શ્રી મહાવીર પ્રભુ અને ધર્મગુરુ-એ બન્નેય સ્થાને ઉત્તમ ગુરુપણું એટલે સાક્ષાત્ પરમેષ્ઠિ ગુરુપણું. Jain ducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy