SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૭]. ૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચનાથી લાભો ૧૧૭ છે એટલા જ માટે પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ પૂરી થયા પછી, કરેલી ક્રિયાનું નિવેદન કરવા રૂપ આલોચના થાય છે, તે ઉચિત જ છે. એમ સમજવું. ૫૬ છે હવે, આલોચનાના ફાયદા-લાભ-ગુણ બતાવે છેદુગા, SSત્સાગરિત્ર, ગ-પર-વિત્તિ, તદ ગાવે, સોદી, કુર-ર, ગાગા, નિસક ૨, સોદિગુણ ઘણા “હલકાપણું, હર્ષ જાગવો, પોતે અને બીજાએ દોષોથી મુક્ત થવું, સરળપણું, શુદ્ધિ, દુષ્કર કાર્યો કરવામાં સામર્થ મળવું, આજ્ઞાનું પાલન અને શલ્યરહિતપણું, એ આલોચનાના ગુણો છે.” ૫૭ “હુમા” ત્તિો ચીધ્યા છે ૧. જેમ ભાર ઉતારી નાંખવાથી, ભાર ઉપાડનારો (મજૂર) હલકો થાય છે, તેમ શલ્ય કાઢી નાંખવાથી આલોચક પણ હલકો થાય છે. - ૨. આહાદની ઉત્પત્તિ×હર્ષ ઉત્પન્ન થાય છે. | ૩. પોતાના અને બીજાના દોષ દૂર થાય છે આલોચના કરવાથી પોતાના દોષ દૂર થાય છે, એ વાત તો જાણીતી જ છે. પરંતુ “તેને જોઈને બીજા પણ આલોચના આપવા તૈયાર થાય છે. તેથી બીજાના પણ દોષો દૂર થાય છે.” ૪. સરળતા કેમ કે સારી રીતે આલોચના કરવાથી મનમાં માયા કપટ રહેતું નથી. પ. શોધિ=શુદ્ધતા થાય છે, કેમ કે અતિચાર રૂપ મેલ દૂર થઈ ગયો હોય છે. ૬. દુષ્કર કામ કરવાપણું–તેથી જે દોષ સેવાય છે, તે દુષ્કર નથી, કેમ કે અનાદિ ભવનો અભ્યાસ હોવાથી તેમ થાય છે. પરંતુ, જે આલોચના કરવામાં આવે છે, તે ખૂબ દુષ્કર છે. કેમ કે મોક્ષ તરફ દોરી જનારો ખાસ પ્રકારનો પ્રબળ વર્ષોલ્લાસ હોય તો જ આ રીતે આલોચના કરી શકાય છે. માટે મા ખમણનો (બાહ્ય) તપ કરવા કરતાં પણ સારી રીતે આલોચના કરવી, તે અત્યંતર પરૂપ હોવાથી, ખૂબ દુષ્કર કાર્ય છે. ૪૭. આજ્ઞાનું આરાધન=શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy